SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ : ઉદ્દેશક ૩ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જે વેદના છે તે નિર્જરા નથી અને જે નિર્જરા છે તે વેદના નથી ? ૩૪૯ ઉત્તર– ગૌતમ ! વેદના કર્મ છે અને નિર્જરા નોકર્મ છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે જે વેદના છે તે નિર્જરા નથી અને જે નિર્જરા છે તે વેદના નથી. १२ णेरइयाणं भंते ! जा वेयणा सा णिज्जरा; जा णिज्जरा सा वेयणा ? गोमा ! णो इणट्टे समट्ठे । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈરિયકોને જે વેદના છે તે નિર્જરા છે અને જે નિર્જરા છે તે વેદના છે? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. આ રીતે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ. १३ से णूणं भंते ! जं वेदेंसु तं णिज्जरिंसु, जं णिज्जरिंसु तं वेदेंसु । નોયમા ! ખો ફળકે સમદે । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જે કર્મોનું વેદન કર્યું (ભોગવ્યા) હતું તે કર્મોની નિર્જરા થઈ હતી અને જે કર્મોની નિર્જરા થઈ હતી તેનું વેદન પણ કર્યું હતું ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. १४ सेकेणणं भंते ! एवं वुच्चइ - जं वेर्देसु णो तं णिज्जरेंसु, जं णिज्जरेंसु णो तं वेदेंसु ? गोमा ! कम्मं वेदें, णोकम्मं णिज्जरिंसु; से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ जाव णो तं वेदेंसु । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જે કર્મનું વેદન કર્યું, તેની નિર્જરા થઈ નથી અને જે કર્મોની નિર્જરા થઈ તે કર્મોનું વેદન કર્યું નથી ? ઉત્તર– હે ગૌતમ ! કર્મોનું વેદન કર્યું હતું અને નોકર્મોની નિર્જરા કરી હતી, તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહેવાય છે કે જે કર્મનું વેદન કર્યું હતું, તેની નિર્જરા કરી નથી અને જે કર્મોની નિર્જરા કરી હતી તેનું વેદન કર્યું નથી. १५ णेरइयाणं भंते ! जं वेदेंसु तं णिज्जरिंसु ? एवं जहा ओहियो दंडओ ता रइया वि । एवं जाव वेमाणिया ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy