SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ઃ ઉદ્દેશક-૧ ૩૧૫ | નથી. પરંતુ સંજ્વલન કષાય વિદ્યમાન હોવાથી તેને પણ સૂક્ષ્મ રીતે કાયિકી આદિ સાંપરાયિકી ક્રિયાઓ લાગે છે. આ રીતે ઉપયોગપૂર્વક કે અનુપયોગથી ગમનાદિ ક્રિયા કરનાર દશમા ગુણસ્થાન સુધીના અણગારોને યથાખ્યાત ચારિત્ર ન હોવાથી સાંપરાયિકી ક્રિયા લાગે છે. વચ્છિUT:- આ શબ્દ 'અનુદિત' અને 'ક્ષણ' આ બંને અર્થમાં પ્રયુક્ત છે. ૧૧, ૧૨, ૧૩માં ગુણસ્થાને ઐર્યાપથિકી ક્રિયા હોય છે. તેમાં ૧૨મા અને ૧૩માં ગુણસ્થાને કષાયનો સર્વથા ક્ષય હોય છે અને ૧૧મા ગુણસ્થાને કષાયનો ઉપશમ એટલે અનુદય હોય છે. અદાલુd - સૂત્રાનુસાર. અહીં ઐર્યાપથિકી ક્રિયાની દષ્ટિએ વિચાર કરતાં મહાસુd નો અર્થ 'યથાખ્યાત ચારિત્ર થાય છે કારણ કે ૧૧મા, ૧૨માં, ૧૩માં ગુણસ્થાનવર્તી યથાખ્યાત ચારિત્રીને જ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. ખરેખર યથાખ્યાત ચારિત્રી અણગાર જ બહાસુત્ત પ્રવૃત્તિ કરનાર કહેવાય છે. ૧૦માં ગુણસ્થાન પર્યંતના અણગાર સકષાયી હોવાથી મહાસુત્ત (યથાખ્યાત ચારિત્રાનુસાર) પ્રવૃત્તિ કરતા નથી. તેને કષાયસહિતનું ક્ષાયોપથમિક ચારિત્ર હોય છે, તેમજ તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે. ૩સુત્તનેવરીયા - અહીં 'ઉસૂત્ર'નો અર્થ, "સૂત્ર વિરુદ્ધ આચરણ કરનાર", તેમ ન કરતાં "યથાખ્યાત ચારિત્રને અનુરૂપ આચરણ ન કરનાર" તે પ્રમાણે કરવો જોઈએ. - આ રીતે અનુપયોગથી અર્થાતુ અવિવેકથી ગમન આદિ કરનાર અણગારને કષાયના સદુભાવમાં સાંપરાયિકી ક્રિયા લાગે છે અને કષાયના અભાવમાં ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. ગૌચરીના દોષો :२० अह भंते ! सइंगालस्स, सधूमस्स, संजोयणादोसदुद्रुस्स पाणभोयणस्स के अढे पण्णत्ते ? गोयमा ! जे णं णिग्गंथे वा णिग्गंथी वा फासुएसणिज्ज असण-पाणखाइम-साइमं पडिग्गाहेत्ता मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे आहारं आहारेइ; एस णं गोयमा ! सइंगाले पाणभोयणे । जे णं णिग्गंथे वा णिग्गंथी वा फासु-एसणिज्ज असणपाणखाइमसाइमं पडिग्गाहित्ता महया अप्पत्तियं कोहकिलामं करेमाणे आहारं आहारेइ; एस णं गोयमा! सधूमे पाणभोयणे । जेणं णिग्गंथे वा णिग्गंथी वा जावपडिग्गाहेत्ता गुणुप्पायणहेउं अण्णदव्वेणं सद्धिं संजोएत्ता आहारं आहारेइ; एस णं गोयमा ! संजोयणादोसदुढे पाणभोयणे ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy