________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર-૨
શતક-૬ : ઉદ્દેશક-૯
- સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્મબંધનું, દેવના વૈક્રિય સામર્થનું અને અવધિજ્ઞાનના સામર્થ્યનું નિરૂપણ છે. * આઠ, સાત, છ કર્મબંધ:- જ્ઞાનાવરણીય કર્મને બાંધતા જીવ આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. એકથી સાત ગુણસ્થાન સુધીમાં ત્રીજા ગુણસ્થાનને છોડીને જીવ આયુષ્યના બંધ સમયે આઠ કર્મનો બંધ કરે છે અને શેષ સમયમાં સાત કર્મનો બંધ કરે છે. ત્રીજે, આઠમે, નવમે ગુણસ્થાનમાં જીવ આયુષ્ય છોડીને સાત કર્મનો બંધ કરે છે તેમજ દશમે ગુણસ્થાનમાં આયુષ્ય અને મોહનીય કર્મને છોડીને છ કર્મનો બંધ કરે છે. * દેવ તત્રગત અર્થાત્ દેવલોકમાં રહેલા પુલોને ગ્રહણ કરીને વિક્ર્વણા કરી શકે છે– (૧) એક વર્ણ, એક આકાર (૨) એક વર્ણ, અનેક આકાર (૩) અનેક વર્ણ, એક આકાર (૪) અનેક વર્ણ, અનેક આકારની પોતાની ઈચ્છાનુસાર વિદુર્વણા કરી શકે છે. તે ઉપરાંત એક પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શને અન્ય પ્રકારના વર્ણાદિમાં પરિણત કરી શકે છે, આ તેનું વૈક્રિય સામર્થ્ય છે.
* વિશુદ્ધલેશી-સમ્યગુદષ્ટિ દેવના અવધિજ્ઞાનનું અને અવિશુદ્ધ લેશી–મિથ્યાદષ્ટિ દેવના વિલંગજ્ઞાનનું સામર્થ્ય-અસામર્થ્ય બાર વિકલ્પોથી સમજાવ્યું છે.
સંક્ષેપમાં અવિશુદ્ધિશેશી મિથ્યાદષ્ટિ દેવ કે દેવી પોતાના વિભંગજ્ઞાનમાં ઉપયોગવાન હોય અથવા ઉપયોગ રહિત હોય, તેઓ અન્ય વિશુદ્ધલેશી સમ્યગ્દષ્ટિ કે અવિશુદ્ધ લેશી મિથ્યાદષ્ટિ દેવ-દેવીને જાણી, દેખી શકતા નથી.
વિશુદ્ધિલેશી સમ્યગ્દષ્ટિ અવધિજ્ઞાની દેવ કે દેવી પોતાના અવધિજ્ઞાનમાં ઉપયોગયુક્ત ન હોય તો અન્ય દેવ-દેવીને જાણી, દેખી શકતા નથી. પરંતુ જો તે પોતાના જ્ઞાનમાં ઉપયોગવાન હોય તો વિશુદ્ધલેશી કે અવિશુદ્ધલેશી બંને પ્રકારના દેવ-દેવીને જાણી શકે છે.
અહીં દેવોના જાણવાનું કારણ. તેમનું સમ્યગુજ્ઞાન અને તેમાં ઉપયોગયુક્તતા છે. શેય પદાર્થ અવિશુદ્ધલશી છે કે વિશુદ્ધવેશી છે તે મહત્વનું નથી. તેમજ સમ્યગુજ્ઞાન હોય અને તેમાં ઉપયોગ ન હોય તો તેનો પણ લાભ નથી. ઉપયોગ સહિતનું સમ્યગુજ્ઞાન શેય પદાર્થનો બોધ કરાવી શકે છે.