SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬ઃ ઉદ્દેશક-૮ [ ૨૭૫ ] રીતે નિયુક્ત અને નિકાચિત એ પર્યાય શબ્દ છે. નિધત્તાયુ–નિયુક્તાયુ વચ્ચે તફાવત – (૧) સામાન્યરૂપે આયુષ્ય કર્મ સાથે અન્ય કર્મપ્રકૃતિઓનો સંયોજિત, નિયોજિત કરવાને નિધરાય કહે છે. (૨) આયુષ્ય સાથે અન્ય પ્રકૃતિઓના દેઢતમ બંધને કે નિકાચિત રૂપે બંધને નિયક્તાયુ કહે છે. પવિધ નિધત્ત આયુષ્યબંધનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– (૧) જાતિનામ નિધરાય - આયુષ્ય બંધ સમયે પૂર્વબદ્ધ સત્તાગત પંચેન્દ્રિયાદિ જાતિ નામકર્મ વગેરે આયુષ્ય સાથે સંયોજિત થાય, નિબદ્ધિત થાય(વિશેષરૂપે બંધાય) તેને જાતિના નિધત્તાયુ કહે છે. (૨) ગતિનામ નિધરાયું - આયુષ્ય બંધ સમયે પૂર્વબદ્ધ સત્તાગત નરકાદિ ગતિ નામકર્મ વગેરે આયુષ્ય સાથે સંયોજિત થાય, વિશેષ રૂપે બંધાય તેને ગતિનામ નિધિત્તાયુ કહે છે. (૩) સ્થિતિનામ નિવત્તાયુ – આયુષ્યના બંધ સમયે પૂર્વે બંધાયેલી નામકર્મની પ્રકૃતિઓની સ્થિતિ, આયુષ્યની સ્થિતિ સાથે નિષિક્ત થાય, સમસ્થિતિક થાય તેને સ્થિતિ નામ નિધતાયુ કહે છે. અહીં ત્રણ પ્રકારે સ્થિતિ સમજાય છે (૧) આયુષ્ય કર્મ સંબંધી, (૨) ગતિ, જાતિ, અવગાહના નામકર્મ સંબંધી અને (૩) તે સિવાયની અન્ય અનેક તર્ભવ પ્રાયોગ્ય નામકર્મની પ્રકૃતિઓ સંબંધી. (૪) અવગાહના નામ નિધરાય – જીવ જેમાં અવગાહિત થાય છે, તેને અવગાહના કહે છે. જીવ ઔદારિક આદિ શરીરમાં અવગાહિત થાય છે, તેથી અહીં ઔદારિક આદિ શરીરની અવગાહના સમજવી. આયુષ્યના બંધ સમયે પૂર્વબદ્ધ સત્તાગત પાંચ શરીરમાંથી આયુષ્યને અનુરૂપ શરીર નામકર્મ પ્રકૃતિનું આયુષ્ય સાથે નિબદ્ધિત થવાને અવગાહના નામ નિધત્તાયુ કહે છે. (૫) પ્રદેશના નિધરાયુ - આયુષ્યના બંધ સમયે પૂર્વે બંધાયેલી સત્તાગત નામકર્મની પ્રકૃતિઓના પુદ્ગલોને આયુષ્ય સાથે નિષિક્ત કરવાને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે. () અનુભાગ નામનિધત્તાયુ -આયુષ્યના બંધ સમયે પૂર્વે બંધાયેલી સત્તાગત નામકર્મની પ્રકૃતિઓના વિપાકને આયુષ્ય સાથે નિષિકત કરવાને અનુભાગ નામ નિધત્તાયુ કહે છે. સૂત્રોક્ત છ પ્રકારના આયુષ્યબંધના કથનમાં આયુષ્ય સાથે ગતિ, જાતિ આદિ નામકર્મની પ્રકૃતિઓનો જે વિશેષણરૂપે પ્રયોગ કર્યો છે, તેમાં નામકર્મની પ્રકૃતિઓની આયુષ્ય કર્મની સાથે સહચારિતા પ્રગટ કરી છે. જે સમયે કોઈપણ આયુષ્યનો ઉદય થાય, તે સમયે તદ્યોગ્ય ગતિ, જાતિ આદિ નામકર્મની પ્રકૃતિઓનો ઉદય થાય છે, જેમ કે નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને જ્યારે નરકાઆયુનો ઉદય થાય છે, ત્યારથી જ તે નૈરયિક કહેવાય છે અને તે જ સમયે આયુષ્યને યોગ્ય નરકગતિ, નરકાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ આદિ પ્રવૃતિઓનો ઉદય થઈ જાય છે, તેથી સૂત્રકારે આયુષ્યકર્મને નામ કર્મથી વિશેષિત કર્યું છે. આ છ ભેદમાં ગતિ, જાતિ, અવગાહના દ્વારા પ્રકૃતિબંધ અને શેષ ત્રણ ભેદ દ્વારા સ્થિતિબંધ,
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy