SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-દ: ઉદેશક-૯ . ૧૯૫ | વિવેચન : ભવીમાં– આઠે ય કર્મબંધની ભજના. અભવીમાં સાત કર્મબંધની નિયમા, આયુષ્ય કર્મબંધની ભજના. સિતોમાં– સર્વ કર્મનો અબંધ હોય છે. (૬) દર્શન દ્વાર :१७ णाणावरणिज्ज णं भंते ! कम्मं किं चक्खुदसणी बंधइ, अचक्खुदंसणी बंधइ, ओहिदसणी बंधइ, केवलदसणी बंधइ ? गोयमा ! हेट्ठिल्ला तिण्णि भयणाए । उवरिल्ले ण बंधइ । एवं वेयणिज्जवज्जाओ सत्त वि । वेयणिज्ज हेट्ठिल्ला तिण्णि बंधंति, केवलदसणी भयणाए । શબ્દાર્થ – ફિ નિ = પ્રારંભના ત્રણ, ચક્ષુ, અચક્ષુ અને અવધિદર્શન ૩રસ્તે = અંતિમ, કેવળદર્શન. ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું ચક્ષુદર્શની બાંધે, અચક્ષુદર્શની બાંધે, અવધિદર્શની બાંધે કે કેવલદર્શની બાંધે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મનીચેના ત્રણ અર્થાત્ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની ભજનાથી બાંધે છે, કેવલ દર્શની બાંધતા નથી. આ જ રીતે વેદનીયને છોડીને સાતકર્મ પ્રવૃતિઓના વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની નિયમા બાંધે છે પરંતુ કેવલદર્શની ભજનાથી બાંધે છે. વિવેચન : દર્શનઃ- દર્શનાવરણીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી સાક્ષાતુ આત્મા દ્વારા અથવા ભાવેન્દ્રિય દ્વારા કે દ્રવ્ય ઈન્દ્રિયો દ્વારા જોવું, અનુભવવું અથવા પદાર્થનો સામાન્ય બોધ થવો તે દર્શન કહેવાય છે. चक ગ - જેને આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે. અવકુવંસળી – જેને આંખ સિવાયની ચાર ઈદ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે. દિવસના - ઈદ્રિયની સહાયતા વિના, સાક્ષાત્ આત્માથી રૂપી પદાર્થનો સામાન્ય બોધ થાય તે. વ ળ – જેને રૂપી, અરૂપી સર્વ દ્રવ્યનો, ત્રણે કાળ ત્રણે લોક સંબંધી સામાન્ય બોધ થાય તે. પ્રારંભના ત્રણ દર્શન બાર ગુણસ્થાન સુધી હોય છે અને કેવળદર્શન તેરમા, ચૌદમા ગુણસ્થાનમાં હોય છે.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy