________________
શતક–૬ : ઉદ્દેશક-૩
कायप्पओगे; इच्चेएणं तिविहेणं पओगेणं जीवाणं कम्मोवचये पओगसा, णो वीससा; एवं सव्वेसिं पंचिंदियाणं तिविहे पओगे भाणियव्वे । पुढवीकाइयाणं एगविहेणं पओगेणं, एवं जाव वणस्सइकाइयाणं । विगलिंदियाणं दुविहे पओगे पण्णत्ते, तं जहा- वइपओगे, कायपओगे य, इच्चेएणं दुविहेणं पओगेणं कम्मोवचए पओगसा, णो वीससा; से तेणट्टेणं गोयमा ! जाव णो वीससा । एवं जस्स जो पओगो जाव वेमाणियाणं ।
૧૮૩
શબ્દાર્થ:- બોળમા = જીવના પ્રયત્નથી વીસા = સ્વાભાવિક રૂપે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વસ્ત્રમાં જે પુદ્ગલોનો ઉપચય થાય છે, તે શું પ્રયોગથી(પુરુષના પ્રયત્નથી) થાય છે કે સ્વાભાવિકરૂપે થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે પ્રયોગથી પણ થાય છે અને સ્વાભાવિકરૂપે પણ થાય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! જે રીતે વસ્ત્રમાં પુદ્ગલોનો ઉપચય પ્રયોગથી અને સ્વાભાવિકરૂપે થાય છે, તે જ રીતે શું જીવમાં કર્મ પુદ્ગલનો ઉપચય પ્રયોગથી થાય છે કે સ્વાભાવિકરૂપે થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવોને કર્મ પુદ્ગલોનો ઉપચય પ્રયોગથી જ થાય છે, સ્વાભાવિકરૂપે થતો નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનુ શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવોને ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે; મનપ્રયોગ, વચનપ્રયોગ અને કાય પ્રયોગ; આ ત્રણ પ્રકારના પ્રયોગથી જ જીવોને કર્મનો ઉપચય થાય છે, તેથી જીવને કર્મનો ઉપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રૂપે થતો નથી.
આ રીતે સર્વ પંચેન્દ્રિય જીવોને ત્રણ પ્રયોગ જાણવા જોઈએ. પૃથ્વીકાયથી વનસ્પતિકાયિક સુધી (એકેન્દ્રિય—પાંચ સ્થાવર)ના જીવોને એક કાયપ્રયોગથી કર્મપુદ્ગલોપચય થાય છે.
વિકલેન્દ્રિય જીવને બે પ્રયોગ હોય છે, યથા– વચનપ્રયોગ અને કાયપ્રયોગ, આ બે પ્રકારના પ્રયોગથી તેને કર્મ પુદ્ગલનો ઉપચય થાય છે.
હે ગૌતમ ! સર્વ જીવોને કર્મોપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રૂપે નહીં. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે જીવને કર્મનો ઉપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રૂપે થતો નથી. આ રીતે જે જીવોને જે પ્રયોગ હોય તે કહેવા જોઈએ યાવત્ વૈમાનિક સુધીના જીવોને યથાયોગ્ય પ્રયોગથી કર્મોપચય કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવના પ્રયોગથી થતાં કર્મબંધનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વસ્ત્રમાં પુદ્ગલનો ઉપચય