________________
શતક–૫ ઃ ઉદ્દેશક−૮
દ્વિપ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી ક્રંધો સુધીના પુદ્ગલ સ્કંધોનો સમાવેશ થઈ જતાં તે વિશેષાધિક થઈ જાય છે.
(૭) તેનાથી કાલથી સપ્રદેશી(બે સમય આદિની સ્થિતિવાળા) પુદ્ગલ વિશેષાધિક છે— કારણ કે દ્રવ્યથી સપ્રદેશીમાં પરમાણુનો અભાવ છે અને અહીં અનેક સમયની સ્થિતિવાળા પરમાણુઓનો સમાવેશ થતાં તે વિશેષાધિક થઈ જાય છે.
૧૩૯
(૮) તેનાથી ભાવથી સપ્રદેશી(બે ગુણકાળા આદિ) પુદ્ગલો વિશેષાધિક છે– કારણ કે પુદ્ગલ દ્રવ્યમાં કૃષ્ણ વર્ણાદિના અનેક અંશની હંમેશાં બહુલતા હોય છે. કાલથી સપ્રદેશીમાં એક સમયની સ્થિતિના પુદ્ગલોનો અભાવ છે અને ભાવથી સપ્રદેશીમાં તે મળી જતાં વિશેષાધિક થઈ જાય છે.
આ રીતે ભાવથી સપ્રદેશી પુદ્ગલ સર્વાધિક છે. તેમાં માત્ર ભાવથી અપ્રદેશી એક ગુણ કાલા આદિનો જ અભાવ છે. જેની સંખ્યા સર્વથી અલ્પ છે. જે ઉપરોક્ત પહેલા બોલમાં કહી છે.
જીવોની હાનિ-વૃદ્ધિ અને અવસ્થિતિ :
९ भंते ! त्ति भगवं गोयमे जाव एवं वयासी- जीवा णं भंते ! किं वङ्कंति हायंति अवट्ठिया ?
નોયમા ! નીવા નો વતિ, ગો હાયતિ; અવક્રિયા ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ પ્રમાણે સંબોધન કરીને, ભગવાન ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! શું જીવ વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવ વધતા નથી, ઘટતા નથી, પરંતુ અવસ્થિત રહે છે.
१० णेरइया णं भंते ! किं वङ्कंति हायंति अवट्ठिया ? गोयमा ! णेरइया व ंति वि हायंति वि अवट्ठिया वि । जहा णेरइया एवं जाव वेमाणिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈરિયક વધે છે, ઘટે છે અથવા અવસ્થિત રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિક વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે.
જે રીતે નૈરયિકોના વિષયમાં કહ્યું તે જ રીતે વૈમાનિક પર્યંત ચોવીસ દંડકના જીવોના વિષયમાં જાણવું જોઈએ.
૧૨ સિદ્ધાળ મતે ! વિતિ જ્ઞાતિ ગવદિયા ? ગોયમા !સિદ્ધા વતિ, નો હાયંતિ, અવક્રિયા વિ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું સિદ્ધો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ?