SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ઃ ઉદ્દેશક-૭, ૧૨૫ | પરમ ફળ મોક્ષ છે તેને સારી રીતે ન જાણે, ન આદરે તેથી તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા નથી અને છસ્વસ્થ મરણથી મરે છે. ३४ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउणा ण जाणइ, अहेउणा ण पासइ, अहेउणा ण बुज्झइ, अहेउणा णाभिगच्छइ, अहेउणा छउमत्थमरणं मरइ । ભાવાર્થ – પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧–૪) અહેવા = સંવર દ્વારા કમશઃ સંસારથી મુક્તિ થાય છે, આ પ્રકારના જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણનો કેટલાક લોકોમાં અભાવ હોય છે. (૫) તેથી તે પણ કેવળજ્ઞાનના અભાવે છઘસ્થ મરણથી મરે છે. |३५ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउं जाणइ, अहेडं पासइ, अहेर्ड बुज्झइ, अहेउं अभिगच्छइ, अहेउं केवलिमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧-૫) કેટલાક સાધકો સંવર તત્ત્વનું સારી રીતે જ્ઞાન, વિજ્ઞાન અને આચરણ હોવાથી અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કેવળ મરણને પ્રાપ્ત કરે છે. ३६ पंच अहेऊ पण्णत्ता,तं जहा- अहेउणा जाणइ, अहेउणा पासइ, अहेउणा बुज्झइ, अहेउणा अभिगच्छइ, अहेउणा केवलिमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧–૫) સંવરના સેવનથી મુક્તિ થાય છે. આ તત્ત્વનું જેને જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન અને સમ્યફ આચરણ થઈ જાય તો તે અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી કેવળ મરણથી મરે છે. વિવેચન : પ્રસ્તુત આઠ સૂત્ર દ્વારા અષ્ટવિધ તત્ત્વનું નિરૂપણ છે. આ આઠે સૂત્રમાં પાંચ-પાંચ બોલનું કથન છે, તે આ પ્રમાણે છે–નાગ = જાણવું, જ્ઞાન થવું, પાસ = જોવું, સમજવું, વિજ્ઞાન થવું, ગુફાડ઼ = બોધ, શ્રદ્ધા થવી, મચ્છ= પ્રાપ્ત કરવું, અપનાવવું, આચરણ, મરણ નર = તે તે જ્ઞાન, શ્રદ્ધાન, આચરણ સંબંધિત અવસ્થામાં મૃત્યુ થયું. = હેતુ એટલે કારણ, સાધન, કર્મબંધના કારણ. ૩ = હેતુથી એટલે કાર્યફળ, કર્મબંધથી પ્રાપ્ત સંસાર. ૩૩= અહેતુ, કર્મબંધના અકારણ-સંવર. ૩૩ = અહેતુથી એટલે સંવરથી પ્રાપ્ત મોક્ષ. આ સૂત્રોની અર્થ વિચારણા બે પ્રકારે થાય છે– (૧) કર્મદષ્ટિએ (૨) જ્ઞાનદષ્ટિએ. કર્મદષ્ટિએ(આશ્રવ–સંવરરૂપે) વિચારણા - અહીં હેતુ એટલે કર્મબંધના કારણો–આશ્રવ. હેતુથી એટલે આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણાદિ. અહેતુ એટલે સંવર અને અહેતુથી એટલે સંવર દ્વારા
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy