________________
૯૪
શ્રી ભગવતી સૂત્ર–૨
રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિક એક રૂપની વિકુર્વણા પણ કરે છે અને અનેક રૂપોની વિકુર્વણા પણ કરે છે. આ રીતે જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ-૩, ઉદ્દેશક–૨. અનુસાર સંપૂર્ણ વર્ણન અહીં જાણવું જોઈએ યાવત્ તેઓની પરસ્પર ઉદીરિત વેદના દુઃસહ્ય હોય છે.
વિવેચન :
જીવાભિગમ સૂત્રમાં વર્ણિત વિષય ઃ– રત્નપ્રભા આદિ નરકોમાં નૈરયિકો એકરૂપની કે અનેક રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે. એક રૂપની વિકુર્વણા કરે, ત્યારે તે એક મોટો મુદ્ગર, મુસુંઢી, કરવત, તલવાર, શક્તિ, હલ, ગદા, મૂસલ, ચક્ર, નારાચ, ભાલા, તોમર, શૂલ, લાકડી, ભિંડમાલ આદિ એક–એક રૂપની વિકુર્વણા કરી શકે છે અને જ્યારે અનેક રૂપોની વિકુર્વણા કરે છે, ત્યારે મુદ્ગરથી લઈને ભિંડમાલ સુધીના અનેક શસ્ત્રોની વિક્ર્વણા કરી શકે છે; તે સર્વે સંખ્યાતા રૂપો હોય છે. અસંખ્યાત રૂપોની વિકુવર્ણા તે કરી શકતા નથી. તે સંબંદ્ઘ અને સદશ રૂપોની વિકુર્વણા કરે છે, અસંબદ્ધ અને અસદશ રૂપોની વિક્ર્વણા કરતા નથી. આ પ્રમાણે વિપુર્વણા કરીને તે એક બીજાના શરીરને અભિઘાત પહોંચાડી, વેદનાની ઉદીરણા કરે છે. તે વેદના તીવ્ર, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, કઠોર, નિષ્ઠુર, ચંડ, તીવ્ર, દુખઃરૂપ અને દુઃસહ્ય હોય છે. દોષને નિર્દોષ માનનારની વિરાધના-આરાધના :
१५ आहाकम्मं अणवज्जे त्ति मणं पहारेत्ता भवइ; से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कंते कालं करेइ, णत्थि तस्स आराहणा; से णं तस्स ठाणस्स आलोइय पडिक्कंते कालं करेइ, अत्थि तस्स आराहणा । एएणं મેળ જેયવ્વ- જીયાડ, વિય, રડ્ય, વતારમાં, પુષ્પિવવમાં, વહ્રિયામાં, શિલાળમત્ત, ક્ષેન્નાયપિંડ, રાપિંડ
શબ્દાર્થ:- આહા# = સાધુ માટે પાણી, અગ્નિ આદિ જીવ હિંસા કરી તૈયાર કરેલો આહાર જીયાર્ડ = ક્રીતદોષ, સાધુ માટે ખરીદેલો આહાર નવિય = સાધુ માટે સ્થાપિત, અલગ મૂકી રાખેલો આહાર રહ્યં = રચિત દોષયુક્ત આહાર, સંસ્કારિત કરેલો આહાર રમત્ત = અટવી પાર કરનારાઓ માટે રાખેલો આહાર, ભાતુ રુમિલમાં = દુષ્કાળ આદિ પ્રસંગે ભિક્ષુઓ(યાચકો)માટે દાનશાળા વગેરેનો આહાર વલિયામાં = અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે દેવાતો આહાર શાળમત્ત - બીમારો માટેનો આહાર લેખ્ખાયરપિંડ = મકાન માલિકનો આહાર રાપિંડ = રાજા માટે બનેલો આહાર.
ભાવાર્થ :- પ્રશ્ન- જે સાધુના મનમાં આધાકર્મી આહારાદિ ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી તેવી ધારણા હોય અને તે ધારણાની આલોચના અને પ્રતિક્રમણ તથા તદનુસાર પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ જો તે કાલધર્મ પામે, તો તેને આરાધના થતી નથી. પરંતુ જો તે ધારણાની આલોચના અને પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ