________________
૩૪૪
શ્રી ભગવતી સૂત્ર–૧
શતક-૩ ઉદ્દેશક-૧
DRDO સંક્ષિપ્ત સારORROR
આ ઉદ્દેશકમાં દેવોની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિનું વર્ણન છે. દેવોને મનુષ્યોની અપેક્ષાએ અધિક પુણ્યનો ઉદય હોવાથી તેઓ વિશિષ્ટ ઋદ્ધિના ધારક છે. તેમ જ જન્મજાત વૈક્રિય સામર્થ્ય હોવાથી વિવિધ પ્રકારના વૈક્રિય રૂપો કરી શકે છે. ભવનપતિ આદિ ચારે જાતિના દેવોમાં તેની યોગ્યતા પ્રમાણે ઋદ્ધિ અને વૈક્રિય શક્તિમાં ન્યૂનાધિકતા હોય છે.
* અસુરેન્દ્ર—ચમર :– ૩૪ લાખ ભવનાવાસ, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્રિંશક દેવ, ચાર લોકપાલ, પાંચ અગ્રમહિષી, ત્રણ પરિષદ, સાત સેના, સાત સેનાધિપતિ, ૨,૫૬,૦૦૦(બે લાખ છપ્પન હજાર) આત્મરક્ષક દેવો પર તેનું આધિપત્ય હોય છે.
ચમરેન્દ્ર પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ જંબુદ્રીપને વ્યાપ્ત કરી શકે છે. તે પ્રત્યેક વૈક્રિય રૂપો યુવાન યુવતીના દષ્ટાંતે તેમજ ચક્રની નાભિ સાથે સંલગ્ન આરાના દષ્ટાંતે પૃથક્ પૃથક્ પ્રતીત થાય છે. છતાં તે પ્રત્યેક રૂપ આત્મપ્રદેશોથી સંલગ્ન હોય છે.
સામર્થ્યની અપેક્ષાએ તેઓ અસંખ્ય દ્વીપ સમુદ્રને વ્યાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ પણ દેવ પોતાના સંપૂર્ણ સામર્થ્યનો પ્રયોગ કદાપિ કરતા નથી. તેમાં પલ્યોપમની સ્થિતિવાળા દેવો સંખ્યાત દ્વીપ સમુદ્રને અને સાગરોપમની સ્થિતિવાળા દેવો અસંખ્યાત દ્વીપ સમુદ્રને વ્યાપ્ત કરી શકે છે. ચમરેન્દ્રના સામાનિક દેવોની અને ત્રાયત્રિંશકની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિ ઈન્દ્રની સમાન છે.
લોકપાલ દેવની ઋદ્ધિ સામાનિક દેવની સમાન છે અને તે પોતાના વૈક્રિયકૃત રૂપો દ્વારા સંખ્યાત દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે.
ચમરેન્દ્રની પાંચ અગ્રમહિષીઓનું આધિપત્ય ૧૦૦૦ સામાનિક દેવીઓ પર અને પોતાની સખી–મહત્તરિકા દેવીઓ પર હોય છે. તેનું વૈક્રિય સામર્થ્ય લોકપાલ દેવોની સમાન છે.
* બલીન્દ્ર :– ૩૦ લાખ ભવનાવાસ, ૬૦,૦૦૦ સામાનિક દેવો અને ૨,૪૦,૦૦૦ (બે લાખ ચાલીસ હજાર) આત્મરક્ષક દેવો પર તેનું આધિપત્ય હોય છે. તે પોતાના વૈક્રિયકૃત રૂપોથી સાધિક જંબુદ્રીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરી શકે છે, શેષ કથન ચમરેન્દ્રની સમાન છે.
* નાગકુમારેન્દ્ર—ધરણેન્દ્ર :– ૪૪ લાખ ભવનાવાસ, ૬,૦૦૦ સામાનિક દેવો, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, ૩૩ ત્રાયત્રિંશક દેવો, ચાર લોકપાલ અને છ અગ્રમહિષીઓ પર તેનું આધિપત્ય છે. પોતાના