________________
The .
તેનો પુરષાર્થ પ્રશંસનીય છે, પાંચે ય ભાગનું તેનું લેખનકાર્ય સફળ બને તેવી કામના કરું છું. તે ઉપરાંત અન્ય આગમનું સંપાદન કરી અમારા સહસંપદિકા બની સહયોગી બની રહે. તેનું નામ જ આરતી છે. આરતી દેવની ઉતારાય છે, જિનવાણીના જ્ઞાનદીપક પ્રગટાવી આત્મદેવની આરતી બની જાય, સ્વરૂપમાં સમાય જાય, તેવી મંગલ કામના કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર આગમમનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટિ વંદના તથા સહ સંપાદિકા સાધ્વી સુબોધિકાને ધન્યવાદ. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા શ્રીયુત ભામાશા રમણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી તપસ્વિની વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા આગમના શ્રુતજ્ઞાનાદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોને આભાર સહ અનેકશઃ ધન્યવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે ત્રુટિ રહી જવા પામી હોય, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્..
બોધિ બીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, ‘મકત-લીલમ તણા તારક થયા,
એવા ગુરણી ‘ઉજમ-ફૂલ-અંબામાત’ને વંદન કરું છું ભાવ ભર્ચા. વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુપુનઃ પુનઃ ક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પા. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ. સ. ના
સુશિષ્યા - આર્યા લીલમ
30