________________
२७४
श्री भगवती सूत्र - १
I
हट्ठतुट्ठ जाव हियए उट्ठाए उट्ठेइ समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ जाव णमंसित्ता सयमेव पंच महव्वयाइं आरुहेइ, आरुहित्ता समणा य समणीओ य खामेइ । तहारूवेहिं थेरेहिं कडाईहिं सद्धिं विपुलं पव्वयं सणियं सणियं दुरुहेइ दुरुहित्ता मेहघणसण्णिगासं देवसण्णिवायं पुढविसिलापट्टयं पडिलेहेइ, पडिलेहित्ता उच्चारपासवणभूमिं पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता पुरत्थाभिमुहे संपलियंक णिसण्णे करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी- णमोत्थु णं अरिहंताणं भगवंताणं जाव संपत्ताणं । णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स जाव संपाविउकामस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भगवं तत्थगए इहगयं ति कट्टु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- पुव्विं पि मए समणस्स भगवओ महावीरस्स अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए जाव मिच्छादंसणसल्ले पच्चक्खाए जावज्जीवाए। इयाणिं पि य णं समणस्स भगवओ महावीरस्स अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जावज्जीवाए जाव सव्वं मिच्छादंसणसल्लं पच्चक्खामि जावज्जीवाए। एवं सव्वं असणं पाणं खाइम साइमं चउव्विहं पि आहारं पच्चक्खामि जावज्जीवाए; जं पि य इमं सरीरं इट्ठ कंतं पियं जाव फुसंतु त्ति कट्टु एयं पि णं चरिमेहिं उस्सासणीसासेहिं वोसिरामि त्ति कट्टु संलेहणाझूसणाझूसिए भत्तपाण पडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरइ ।
भावार्थ :ત્યાર પછી શ્રી સ્કંદક અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત થવા પર અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા; તેમજ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. ત્યાર પછી તેઓ પોતાની ઉત્થાન શક્તિથી ઊઠ્યા, ઊભા થઈને, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર જમણી તરફથી પ્રદક્ષિણા કરી અને વંદન–નમસ્કાર કરી, સ્વયંમેવ પાંચ મહાવ્રતોનું આરોપણ કર્યું. શ્રમણ—શ્રમણીઓની સાથે ક્ષમાયાચના કરી અને તથારૂપના સમર્થ સ્થવિરોની સાથે ધીમે ધીમે વિપુલગિરિ ઉપર ચઢયા. ત્યાં મેઘસમૂહ સમાન કાળા, દેવોના અવતરણસ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટની પ્રતિલેખના કરી તથા ઉચ્ચાર–પ્રસવણાદિ પરિષ્ઠાપન ભૂમિની પ્રતિલેખના કરી. એ પ્રમાણે કરીને, તે પૃથ્વીશિલા ઉપર દર્ભનો સંસ્તારક બિછાવ્યો, બિછાવીને, પૂર્વદિશા તરફ મુખ રાખીને, પર્યંકાસને સ્થિત થઈને, દશે નખ સહિત બંને હાથને જોડીને, મસ્તક પર રાખીને અર્થાત્ અંજલિબદ્ધ કરીને આ પ્રમાણે કહ્યું– નમોત્થણના પાઠમાં કથિત વિશેષણ યુક્ત, મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો તથા અવિચલ, શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. [આ રીતે મોટ્યુળના પાઠનું બે વાર ઉચ્ચારણ કર્યું]. ત્યાં રહેલા ભગવાન મહાવીર સ્વામીને અહીં સ્થિત થયેલો હું વંદન કરું છું. "ત્યાં બિરાજમાન ભગવાન