________________
પાંચ સમવાય
| ૨૫ ]
ભાવાર્થ :- સનસ્કુમાર–મહેદ્રકલ્પના કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. જે દેવો વાત, સુવાત, વાતાવર્ત, વાતપ્રભ, વાતકાંત, વાતવર્ણ, વાતલેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ, વાતસૃષ્ટ, વાતોત્તરાવતંસક, સૂર, સૂસૂર, સૂરાવર્ત, સૂરપ્રભ, સૂરકાન્ત, સૂરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરશૃંગ, સૂરસૃષ્ટ, સૂરકૂટ અને સૂરોત્તરાવર્તસક નામના વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપેથી ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે. તે દેવ પાંચ અર્ધમાસે (અઢી મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. આ દેવોને પાંચ હજાર વર્ષ આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. |७ संतेगइया भवसिद्धिया जीवा जे पंचहि भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ - કેટલાક ભવ્યસિદ્ધિક જીવો પાંચ ભવ ગ્રહણ કરી સિદ્ધ થશે, બુધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-પ સંપૂર્ણ