SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૪ ] શ્રી સમવાયાંગ સૂત્ર विक्खंभबाहल्लेणं, आयामेणं जहण्णेणं अहे जाव विज्जाहरसेढीओ । उक्कोसेणं जाव अहोलोइयग्गामाओ । उड्डे जाव सयाई विमाणाई, तिरिय जाव मणुस्सखेत्तं । एवं जाव अणुत्तरोववाएया । एवं कम्मयसरीरं भाणियव्वं। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! મારણાન્તિક સમુદ્યાતને પ્રાપ્ત થયેલા ગ્રેવેયક દેવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! વિષ્કલ્પ–બાહલ્યની અપેક્ષા શરીર પ્રમાણ માત્ર છે અને આયામ-લંબાઈની અપેક્ષા એ નીચે જઘન્ય વિદ્યાધર શ્રેણી સુધી ઉત્કૃષ્ટ અધોલોકના ગ્રામો સુધી તથા ઉપર પોતાનાં વિમાનો સુધી અને તિરછી મનુષ્ય ક્ષેત્ર સુધી છે. આ રીતે અનુત્તરોપપાતિક દેવોનું જાણવું જોઈએ.આ રીતે કાર્મણ શરીરનું વર્ણન પણ જાણવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મારણાન્તિક સમુદ્યાતગત રૈવેયક દેવોની શારીરિક અવગાહનાનું વર્ણન કરીને અનુત્તર વિમાનવાસી દેવોની શરીર અવગાહના અને કાશ્મણ શરીર અવગાહનાનું કથન કર્યું છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તિર્યંચગતિના જીવો તથા નારકી, મનુષ્ય અને દેવગતિના રૈવેયક દેવોના પૂર્વવર્તી દરેક જીવોની ભવધારણીય તૈજસ-કાશ્મણ શરીરની અવગાહના તથા મારણાન્તિક સમુઘાતગત અવગાહનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૨૧ અનુસાર જાણવું. દરેક સંસારી જીવના ભવધારણીય તૈજસ-કાર્પણ શરીરની અવગાહના, તેની ભવધારણીય ઔદારિક કે વૈક્રિય શરીર પ્રમાણ જ હોય છે. મારણાંતિક સમુદ્યાતના સમયે આત્મપ્રદેશોના વિસ્તારની સાથે તૈજસ-કાર્પણ શરીરનો પણ વિસ્તાર થાય છે. મારણાંતિક સમુઠ્ઠાતની અપેક્ષાએ ૨૪ દંડકના જીવોની અવગાહના નીચેના કોષ્ટક અનુસાર જાણવી. તૈજસ શરીરની અવગાહના (૨૪ દંડકના જીવોમાં) : | તૈજસ શરીથી જીવ || જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના સમુચ્ચય જીવ, પાંચ સ્થાવર અંગુલનો અસંખ્યાતમો ભાગ| એકલોકાંતથી બીજા લોકાંત સુધી વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, અંગુલનો અસંખ્યાતમો ભાગ| તિર્યશ્લોકથી ઊર્ધ્વ કે અધોલોકાંત મનુષ્ય |અંગુલનો અસંખ્યાતમો ભાગ અઢીદ્વીપ ક્ષેત્રથી ઊર્ધ્વ કે અધોલોકાંત નારકી સાધિક ૧000 યોજન | સાતમી નરક પૃથ્વીથી સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી તેમજ પંડગવનની વાવડી સુધી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી| અંગુલનો અસંખ્યાતમો ભાગ નીચે ત્રીજી નરકના ચરમાંતથી તિરછી સ્વયંભૂરમણ પહેલા બીજા દેવલોકના દેવો | | સમુદ્રની વેદિકા, ઉપર ઇષત્ પ્રાશ્મારા પૃથ્વી સુધી
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy