________________
એકાણથી એક સ સમવાય
| ૨૩૭ |
ભાવાર્થ :- સ્થવિર ઈન્દ્રભૂતિ ગણધર બાણું વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખોથી રહિત થયા.
મંદર પર્વતના બહુમધ્ય દેશભાગથી ગોસૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાત્ત ભાગ વચ્ચે બાણું હજાર(૨,000) યોજનનું અંતર છે. એવી રીતે ચારે ય આવાસ પર્વતનું અંતર જાણવુ. વિવેચન :
મેરુ પર્વતના મધ્યભાગથી ચારે ય દિશાઓમાં જંબૂદ્વીપની સીમા પચાસ હજાર યોજન છે અને ત્યાંથી ચારે ય દિશાઓમાં લવણ સમુદ્રની અંદરમાં બેતાલીસ હજાર યોજનાની અંતરે ગોસ્તૂપ આદિ ચારે ય આવાસ પર્વતો છે, તેથી મેરુ પર્વતના મધ્યથી પ્રત્યેક આવાસ પર્વતનું અંતર બાણું હજાર યોજન(૫0,000 યોજન+૪૨,000 યોજન ૯૨,000 યોજન) થાય છે. ત્રાણુમું સમવાય :|६ चंदप्पहस्स णं अरहओ तेणउई गणा तेणउइं गणहरा होत्था । संतिस्स णं अरहओ तेणउई चउद्दस पुव्विसया होत्था । तेणउई मंडलगते ण सूरिए अतिवट्टमाणे णिवट्टमाणे वा समं अहोरत्तं विसमं करेइ । ભાવાર્થ :– ચંદ્રપ્રભ અરિહંતના ત્રાણું ગણ અને ત્રાણું ગણધર હતા. શાંતિનાથ અરિહંતના સંઘમાં ત્રાણુંસો (૩૦૦) ચતુર્દશપૂર્વી હતા. દક્ષિણાયનથી ઉત્તરાયણ જતાં સમયે અથવા ઉત્તરાયણથી દક્ષિણાયન પાછા ફરતા સમયે ત્રાણુંમા મંડલ પર પરિભ્રમણ કરતો સૂર્ય સમ અહોરાત્રિને વિષમ કરે છે. વિવેચન :
સૂર્યના પરિભ્રમણનાં મંડલ ૧૮૪ છે. તેમાંથી જ્યારે સૂર્ય જંબૂદ્વીપની ઉપર સર્વથી અંદરના મંડલ પર સંચાર કરે છે ત્યારે દિવસ અઢાર મુહૂર્તનો હોય છે અને રાત્રિ બાર મુહૂર્તની હોય છે. એવી રીતે સૂર્ય જ્યારે લવણ સમુદ્ર ઉપર સર્વથી બહારના મંડલ પર સંચાર(પરિભ્રમણ) કરે છે, ત્યારે દિવસ બાર મુહૂર્તનો હોય છે અને રાત્રિ અઢાર મુહૂર્તની હોય છે. સૂર્ય ઉત્તરાયણમાં અને દક્ષિણાયનમાં ત્રાણુંમા મંડલ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે દિવસ અને રાત્રિ બન્ને સમાન અર્થાત્ પંદર પંદર મુહૂર્તના હોય છે. તેનાથી આગળ જ્યારે તે ઉત્તર તરફ સંચાર કરે છે, ત્યારે દિવસ વધવા લાગે છે અને રાત ઘટવા લાગે છે તથા તે દક્ષિણ તરફ સંચાર કરે છે ત્યારે રાત્રિ વધવા લાગે છે અને દિવસ ઘટવા લાગે છે. આ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કહેવાય છે કે ત્રાણુંમા મંડલગત સૂર્ય આગળ જતાં બહાર અથવા પાછા ફરતા સમ અહોરાત્રિને વિષમ કરે છે. ચોરાણુમું સમવાય :७ णिसह-णीलवंतियाओ णं जीवाओ चउणउई चउणउइं जोयणसहस्साई