________________
[૧૧૮]
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- અધસ્તન મધ્યમ (બીજા) રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ત્રેવીસ સાગરોપમ છે. જે દેવ અધસ્તન અધસ્તન (પ્રથમ) રૈવેયક વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રેવીસ સાગરોપમની છે. તે દેવ ત્રેવીસ અમાસે (સાડા અગિયાર માસે) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને ત્રેવીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
६. संतेगइआ भवसिद्धिया जीवा जे तेवीसाए भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्सति मुच्चिस्सति परिणिव्वाइस्सति सव्वदुक्खाणमत करिस्सति । ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો ત્રેવીસ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-ર૩ સંપૂર્ણ