________________
ચૌદ સમવાય
[ ૮૧] વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તે દેવો ચૌદ અર્ધમાસે = (સાત મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને ચૌદ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. १० संतेगइया भवसिद्धया जीवा जे चउद्दसहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ :- કેટલાક ભવસિદ્ધિક જીવો ચૌદ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુકત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૪ સંપૂર્ણ