________________
સ્થાન - ૫ઃ ઉદ્દેશક – ૩
૮૫
ભાવાર્થ :- મત્સ્ય(મચ્છ)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જલ પ્રવાહની દિશામાં ચાલનારા (૨) જલ પ્રવાહની વિપરીત દિશામાં ચાલનારા (૩) જલ પ્રવાહના કિનારે-કિનારે ચાલનારા (૪) જલ પ્રવાહની મધ્યમાં ચાલનારા (૫) પાણીમાં સર્વત્ર વિચરણ કરનારા.
તે જ રીતે ભિક્ષુના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અનુશ્રોતચારી, પ્રતિશ્રોતચારી, અંતચારી, મધ્યચારી અને સર્વચારી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અભિગ્રહધારી મુનિના ભિક્ષા ગ્રહણ સંબંધી(અભિગ્રહોની) પ્રરૂપણા પ્રસ્તુત સૂત્રાનુસાર અભિગ્રહધારી ભિક્ષુ ભિક્ષાર્થે પાંચ પ્રકારે ગમન કરે છે.
કે
(૧) અનુશ્રોતચારી :– ઉપાશ્રયની પાસેના ઘરથી કે શેરીના પ્રારંભના ઘરથી ક્રમશઃ ગોચરીનો પ્રારંભ કરનારા ભિક્ષુ અનેશ્રોતચારી કહેવાય છે.
(૨) પ્રતિશ્નોતચારી :– શેરીના છેલ્લા ઘરથી ગોચરીનો પ્રારંભ કરનારા. વિપરીત ક્રમથી ગોચરી કરતાં કરતાં ઉપાશ્રયે આવનારા ભિક્ષુ પ્રતિશ્રોતચારી કહેવાય છે.
(૩) અંતચારી :– નગર-ગ્રામાદિ કે શેરીના અંત ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા લેનારા ભિક્ષુ અંતચારી કહેવાય છે.
(૪) મધ્યચારી :– નગર, ગ્રામાદિ કે શેરીના મધ્યભાગમાં સ્થિત ઘરોથી ગોચરી કરનારા ભિક્ષુ મધ્યચારી કહેવાય છે.
(૫) સર્વચારી :— નગર, ગામ કે શેરીના સર્વ ઘરોમાં ગમે ત્યાંથી ભિક્ષા લેનાર સાધુ સર્વચારી કહેવાય છે. સ્થાન-૪, ઉર્દૂ.-૪, સૂત્ર-૩૪માં મત્સ્યની ઉપમા દ્વારા ચાર પ્રકારના ભિક્ષુઓનું કથન છે. અહીં સર્વચારી સહિત પાંચ પ્રકારના ભિક્ષુ કહ્યા છે.
યાચકના પ્રકાર :
३२ पंच वणीमगा पण्णत्ता, तं जहा अतिहिवणीमगे, किवणवणीमगे, માદળ- વળીમળે, સાળવળીમને, સમળવણીમને
ભાવાર્થ :- વનીપક(યાચક)ના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અતિથિવનીપક (૨) કૃપણ વનીપક (૩) બ્રાહ્મણ વનીપક (૪) શ્વાન વનીપક (પ) શ્રમણ વનીપક.
વિવેચન :
યાચકોની વિવિધ પ્રકારની વૃત્તિ અને પ્રવૃત્તિના આધારે તેના પાંચ ભેદ થાય છે.