SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૪. ૫૨૧ જેમ આર્યરક્ષિતનાભાઈ ફલ્યુરક્ષિતની દીક્ષા. (૧૧) સંગાર પ્રવ્રજ્યા – 'તમે દીક્ષા લેશો તો હું દીક્ષા લઈશ, આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ કે સંકેતપૂર્વક દીક્ષા લે છે. જેમ કે મેતાર્ય મુનિની સંકેત દીક્ષા. (૧૨) વિહગગતિ પ્રવજ્યા – જેમ પક્ષી આકાશમાં એકલું ઉડે છે, તેવી રીતે પરિવારાદિના વિયોગથી કે વિદેશ ચાલ્યા જવાથી પરિવાર રહિત અસહાય, એકલો થવાથી દીક્ષા લે તે. (૧) તોદયિત્વા પ્રવ્રજ્યા -દુઃખ, વ્યથા, કષ્ટ આપીને, શારીરિક બળ અથવા વિદ્યાબળથી ચમત્કારાદિ બતાવી, વિવશતલાચાર) કરી દીક્ષા આપે છે. ll૧૩ll. (૨) પ્લાવયિત્વા પ્રવ્રજ્યા :- અન્ય સ્થાને લઈ જઈને, પારિવારિકજનોની આજ્ઞા લીધા વિના દીક્ષા આપે છે. ll૧૪ો. (૩) વાચયિત્વા:- વાતચીત કરી, કોઈ રીતે તેને વચનબદ્ધ કરી દીક્ષા આપે તે અથવા ગુલામી, દાસત્વમાંથી છોડાવી, ઉપકૃત કરી, અપાતી પ્રવ્રજ્યા. //૧૫ (૪) પરિપ્લતયિત્વા પ્રવજ્યા- સ્નિગ્ધ, મિષ્ટ ભોજન કરાવીને, મિષ્ટ આહારનું પ્રલોભન કે અન્ય સુવિધા, પદવી વગેરેનું પ્રલોભન આપી અથવા કોઈની નિંદા, સ્તુતિ કરી; ફોસલાવીને દીક્ષા આપે છે. l/૧al. (૧) નટખાદિતા :- જે શ્રમણ નટની જેમ સંવેગ-વૈરાગ્ય રહિત, ધર્મકથા કહી અને મિષ્ટ્રવ્યવહાર કરી, ભોજનાદિ પ્રાપ્ત કરે તેની દીક્ષા નટખાદિતા કહેવાય. ll૧૭થી (૨) ભટ ખાદિતા :- જે સાધુ સુભટ સમાન બળ બતાવી ભોજન પ્રાપ્ત કરે તેની દીક્ષા ભટખાદિતા કહેવાય. ll૧૮ (૩) સિંહ ખાદિતા:- જે સાધુ સિંહની જેમ પોતાના શૌર્યથી સ્વતઃ ભોજન પ્રાપ્ત કરે, અદીન વૃત્તિથી આહાર ગ્રહણ કરે, તેની દીક્ષા સિંહખાદિતા કહેવાય. ll૧૯ાા (૪) મૃગાલખાદિતા – જે સાધુ શિયાળની જેમ દીન વૃત્તિથી ભોજનાદિ ગ્રહણ કરે તેની દીક્ષા, શૃંગાલખાદિતા કહેવાય. ll૨ll (૧) વાપિતા(ઉપ્તા)પ્રવજ્યા- જેમ ખેડૂત ઘઉં આદિનું વાવેતર કરી, તેની ખેતી કરે છે, તેમ જે પ્રવ્રજ્યામાં સામાયિક ચારિત્રનો સ્વીકાર કરવામાં આવે છે. ર૧ll (૨) પરિવાપિતા પ્રવ્રજ્યા - ડાંગરના છોડ વગેરેને ઉખેડી, ફરી રોપવામાં આવે અને ધાન્યના રોપાને બે-ત્રણવાર ઉખેડી, બીજી જગ્યાએ રોપવામાં આવે તેમ જે પ્રવ્રજ્યામાં મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે, વડી દીક્ષા આપવામાં આવે છે. રરો
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy