SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન–૪: ઉદ્દેશક-૧ | ૩૧૧ ] ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞારુચિ– જિનાજ્ઞાના ચિંતન-મનનમાં રુચિ, શ્રદ્ધા, ભક્તિ થવી. (૨) નિસર્ગરુચિ- ધર્મ કાર્યો કરવામાં સ્વાભાવિક રુચિ થવી. (૩) સૂત્રરુચિ– આગમ-શાસ્ત્રોના પઠન-પાઠનમાં રુચિ થવી. (૪) અવગાઢ રુચિ- દ્વાદશાંગી વાણીમાં અવગાહન કરવાની પ્રગાઢ રૂચિ થવી. |२५ धम्मस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा- वायणा, पडिपुच्छणा परियट्टणा, धम्मकहा । ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર આલંબન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વાચના- આગમ-સૂત્ર આદિનું પઠન કરવું. (૨) પ્રતિપૃચ્છના–શંકા–નિવારણાર્થે ગુરુજનોને પૂછવું. (૩) પરિવર્તના- શીખેલા સૂત્રોનું પુનરાવર્તન કરવું. (૪) ધર્મકથા– ધર્મ તત્ત્વોનું વ્યાખ્યાન કરવું, ધર્મોપદેશ દેવો. २६ धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहाएगाणुप्पेहा, अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, संसाराणुप्पेहा । ભાવાર્થ :- ધર્મ-ધ્યાનનની ચાર અનુપ્રેક્ષા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) એકતાનુપ્રેક્ષા- જીવ એકલો પરિભ્રમણ કરે છે અને સુખ–દુઃખ એકલો જ ભોગવે છે, તે પ્રકારે ચિંતન કરવું. (૨) અનિત્યાનુપ્રેક્ષા- વસ્તુઓની અનિત્યતાનું ચિંતન કરવું. (૩) અશરણાનુપ્રેક્ષા- સંસારમાં કોઈ કોઈને શરણભૂત નથી, તે પ્રકારનો વિચાર કરવો. (૪) સંસારાનુપ્રેક્ષા- ચતુર્ગતિરૂપ સંસારનો વિચાર કરવો. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ધર્મધ્યાનના પ્રકાર, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાના માધ્યમથી ધર્મધ્યાનનું વિસ્તૃત વિવેચન કર્યું છે. ધર્મ ધ્યાન - ધર્મધ્યાનનો અર્થ છે તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિને અને તેમાં થતી ચિત્તવૃત્તિની એકાગ્રતાને ધર્મધ્યાન કહે છે. ચાર ભેદ – આજ્ઞાવિચય આદિ ચાર ભેદોના માધ્યમે સાધક જિનાજ્ઞાની તેમજ કર્મફળ આદિની સતત વિચારણા કરતાં રાગ-દ્વેષના પરિણામને મંદ બનાવી, ધર્મધ્યાનમાં પ્રવિષ્ટ થાય છે. (૧) આવિષય:- જિનાજ્ઞાની વિચારણા. આગમમાં નિરૂપિત તત્ત્વોની તેમજ કર્મબંધનથી મુક્તિની અને જિનેશ્વરની આજ્ઞાની વિચારણા કરવી તે. (૨) અવાય વિનય - દુઃખની વિચારણા. ચારે ગતિના દુઃખો અને દુઃખનાં કારણો તથા તેનાથી દૂર રહેવાના ઉપાયોની વિચારણા કરવી તે.
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy