________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૨
૨૦૫
કર્મોનો ઘાત કરવો; કાળસંયોગ = વિવિધ અવસ્થાઓ થવી, પર્યાયનું પલટાવું; દર્શનાભિગમ = પ્રત્યક્ષ દર્શનથી થતો બોધ; જ્ઞાનાભિગમ = જ્ઞાનથી થતો બોધ; જીવાભિગમ = જીવ બોધ; અછવાભિગમ = અજીવનો બોધ વગેરે પ્રત્યેક ક્રિયા છએ દિશામાં થાય છે.
ત્રસ અને સ્થાવર જીવોના ત્રણ-ત્રણ પ્રકાર :२५ तिविहा तसा पण्णत्ता, तं जहा- तेउकाइया, वाउकाइया, उराला तसा पाणा । तिविहा थावरा पण्णत्ता, तं जहा- पुढविकाइया, आउकाइया, વસ– piડ્યા ભાવાર્થ :- ત્રસજીવ ત્રણ પ્રકારના છે, યથા- (૧) તેજસ્કાયિક (૨) વાયુકાયિક (૩) ઉદાર(સ્થૂલ) ત્રસપ્રાણી. સ્થાવર જીવ ત્રણ પ્રકારના છે, યથા– (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) વનસ્પતિકાયિક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંસારી જીવોનું ત્રસ અને સ્થાવર રૂપે વિભાજન કર્યું છે. સ્થાવર નામકર્મના ઉદયે જે જીવો ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ માટે ઈચ્છાપૂર્વક ગતિ કરી ન શકે તેને સ્થાવર કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. આ પાંચ સ્થાવર છે. ત્રસ નામકર્મના ઉદયે જે જીવો ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ માટે ઈચ્છાપૂર્વક ગતિ કરે તેને ત્રસ કહે છે. વિક્લેન્દ્રિય અને તિર્યચપંચેન્દ્રિય ત્રસ છે.
આ સૂત્રમાં ત્રણ પ્રકારના ત્રસમાં અગ્નિ અને વાયુને પણ ગ્રહણ કર્યા છે. તે ગતિ ત્રસની અપેક્ષાએ છે. વાસ્તવમાં તે સ્થાવર જ છે પરંતુ તે બંનેમાં ચાલવાની ક્રિયા દેખાતી હોવાથી તેને ગતિત્રસ કહે છે. ગતિને લક્ષ્યમાં રાખી ત્રસ કહ્યા છે. ત્રીજા સ્થાનમાં તેઓનું કથન કરવા સૂત્રકારે આ પદ્ધતિ અપનાવી છે.
સુત્રગત 'ઉદાર' શબ્દનો અર્થ છે પ્રધાન. પ્રધાન રૂપે ત્રસ, ત્રસનામ કર્મવાળા બેઈન્દ્રિયાદિ જીવો જ ત્રસ કહેવાય છે. તે લબ્ધિ ત્રસના કથન માટે ઉદાર' વિશેષણ આપ્યું છે. સમય, પ્રદેશ અને પરમાણુના વિશિષ્ટ ગુણ :| २६ तओ अच्छेज्जा पण्णत्ता,तं जहा- समए, पएसे, परमाणू । एवमभेज्जा, અડટ્ટા, ગા , અણી, અમા, અપાલા, વિમામ વિ ભાવાર્થ :- ત્રણ અછેદ્ય છે, યથા– (૧) સમય (૨) પ્રદેશ (૩) પરમાણુ. એ જ રીતે (૧) સમય (૨) પ્રદેશ (૩) પરમાણુ એ ત્રણે, અભેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય, અનó, અમધ્ય, અપ્રદેશી અને અવિભાજ્ય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સમય, પ્રદેશ, પરમાણની અછેદ્યતા વગેરે દર્શાવી છે. અછેદ્ય = છેદી ન શકાય.