________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અનાદિનો અવળો કર્યો આતમરામે આયાસ
પરમ પ્રાણ પામવાનો હવે કરીએ પ્રયાસ....!!! ઇન્દ્ર સમ ઐશ્વર્યવાન, અગ્નિ સમ ઉજ્જવળ, વાયુ સમ અપ્રતિબદ્ધ, ભૂતિપ્રજ્ઞ વ્યક્ત હું આત્મા છું, સુધર્મથી મંડિત, મૌર્ય સમ શૌર્યવાન, અકંપિત અલભ્રાતા સમ નિષ્કપ જ્ઞાની હું મહાત્મા છું, મેતાર્ય, પ્રભાસ, ગણધરાદિકૃત દ્વાદશાંગીમાં વર્ણવ્યો તેવો શુદ્ધ ચૈતન્યઘન હું અંતરાત્મા છું, પ્રાણધારા નિજભાવમાં વહાવી જ્ઞાતા દણ બની જાઉં તો પરમપદ પામનાર હું પરમાત્મા છું.” પ્રિય પાઠક, સાધકગણ !
આપની સમક્ષ વિચાર પ્રધાન આચારના આયાસમાં અને અનેકાંત માર્ગના સાપેક્ષવાદને રજૂ કરનાર, આપ્તપુરુષોએ સ્વીકારેલો, અનુભવેલો, માન્ય કરેલો, વીતરાગદર્શનને પ્રદર્શિત કરતો, સાત અધ્યયનથી યુક્ત સૂત્રકૃતાંગ સૂત્રનો બીજો ભાગ, પ્રાણ આગમ બત્રીસીના અણમોલું નજરાણું બનીને પ્રફુટિત થઈ રહ્યો છે, તેનું અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.
પ્રથમ શ્રુતસ્કંધમાં દર્શનકારોની માન્યતાવાળા ત્રણસો ત્રેસઠ ભેટવાળા દાર્શનિકોનું વર્ણન સંક્ષેપમાં કરવામાં આવ્યું છે. તેનું વર્ણન યુક્તિપૂર્વક અહીં વિસ્તારથી કરવામાં આવ્યું છે. બીજા શ્રુતસ્કંધનું સંપાદન કરતાં આ સંપાદિકાને સાંદ્રોલસિત ભાવ પ્રગટ થયો છે. આનંદઘનજીની ચોવીસીમાં લખ્યું છે કે –
મત મત ભેદે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ અભિનંદન જિન દરિસણ તરસીએ.. અહંકાર કેવું કાર્ય કરાવે છે તેનું દ્રશ્ય નિહાળીએ.
આ યુક્તિ આ આગમમાં ચરિતાર્થ થઈ રહી છે. અનાદિકાળથી ગાઢ મિથ્યાત્વમાં રહેલા દિમૂઢ જીવોનું દર્શન પરમાત્માએ પુષ્કરિણી–વાવથી કરાવ્યું છે. પુંડરીક કમળ સમા બની સંસારથી ઉપર ઊઠવાનો માર્ગ ધર્મ દ્વારા ઉપદેશી આપણને ઉગાર્યા છે. મહાન ઉપકાર છે અનંત તીર્થંકર પરમાત્માના તીર્થનો.
પ્રિય આત્મ બંધુઓ ! મેં પણ મારી મતિની નિર્મળતા પ્રમાણે તમારી સામે સંપાદકીયનો વિષય રાખ્યો છે– “પરમ પ્રાણ પામવાનો પ્રયાસ.” તે કરવા માટે મેં મારા મતિજ્ઞાનના ઉપયોગને સજાગ કર્યો, ચાલો મારી સાથે દર્શનકારોના દર્શન કરી, તેના મત જાણી સત્યપથના પથિક બનીએ અને પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરીએ.
પાંચે ય ઇન્દ્રિય અને છઠ્ઠું મન તૈયાર થઈ ગયું. ભાવેન્દ્રિય સહિત અમારા સહયોગી
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt