SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨: ફિયાસ્થાન આ રીતે પુણ્ય ભોગવતા તે સંપૂર્ણ વિધિ પૂર્વક સ્નાન કરે છે અને વિવિધ કૌતુક મંગલનું આચરણ કરીને, પછી તે માથે હાઈને કંઠમાળા, મણિ(રત્ન) તથા સોનાના આભૂષણો ધારણ કરે છે. માથા પર પુષ્પમાળાથી યુક્ત મુગટ ધારણ કરે છે. યુવા અવસ્થાને કારણે તે શરીર સુડોળ અને હૃષ્ટપુષ્ટ હોય છે. તે કમ્મર પર કંદોરો તથા વક્ષસ્થળ પર ફૂલોની માળા તથા નવાં અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. પોતાના અંગો પર ચંદનનો લેપ કરે છે. આ પ્રકારે સુસજ્જિત થઈને અત્યંત ઊંચા વિશાળ પ્રાસાદમાં જાય છે. ત્યાં તે મોટા ભવ્ય સિંહાસન પર બેસે છે. ત્યાં વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત તે પુરુષને યુવતીઓ તથા પરિવાર સહિત દાસીઓ આદિ ઘેરી વળે છે, ત્યાં આખી રાત દીપક વગેરેનો પ્રકાશ ઝગમગતો રહે છે. ત્યાં નાચ, ગાન, વાધ, વીણા, તલ, તાલ, ત્રુટિત, ધન-પડહ મૃદંગ તથા કરતાલ આદિનો ધ્વનિ થયા કરે છે. આ પ્રકારે ઉત્તમોત્તમ મનુષ્યસંબંધી ભોગોનો ઉપભોગ કરીને તે પુરુષ પોતાનું જીવન વ્યતીત કરે છે. તે વ્યક્તિ જ્યારે કોઈ એક નોકરને આજ્ઞા આપે છે ત્યારે ચાર પાંચ મનુષ્યો બોલાવ્યા વિના પણ ત્યાં આવીને સામે ઊભા રહી જાય છે અને હાથ જોડી પૂછે છે– હે દેવાનુપ્રિય ! અમે આપની શું સેવા કરીએ? શું લાવીએ? શું ભેટ આપીએ? કયા કયા કાર્ય કરીએ? આપને શું હિતકર છે? શું ઇષ્ટ(ઇચ્છિત) છે? આપના મુખને કઈ વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે, તે કહો? તે પુરુષનો આ પ્રકારનો ભોગ વૈભવ જોઈને શુદ્ધ ધર્માચરણથી દૂર અનાર્ય લોકો એમ કહે છેઆ પુરુષ તો દેવ છે, આ પુરુષ તો દેવોથી પણ શ્રેષ્ઠ છે. આ પુરુષ તો દેવો જેવું જીવન જીવી રહ્યો છે, આ પુરુષના આશ્રયથી અન્ય લોકો પણ આનંદપૂર્વક જીવે છે. આ પ્રકારે ભોગવિલાસમાં ડૂબેલા તે વ્યક્તિને જોઈને વિવેકી આર્યપુરુષ કહે છે– આ પુરુષ તો અત્યંત ક્રુર કર્મોમાં પ્રવત્ત છે, અત્યંત ધૂર્ત છે, અત્યંત સ્વાર્થી છે. તે દક્ષિણદિશાવર્તી નરકાવાસોમાં કૃષ્ણપક્ષી નરયિક રૂપે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં દુલર્ભબોધિ બને છે. કેટલાક મૂઢ જીવો સંયમ ધર્મ સ્વીકાર કર્યા પછી પણ આ પૂર્વોક્ત સ્થાનો માટે અર્થાત્ તે સુખ સાધનોને મેળવવા માટે લલચાય છે. કેટલાક ગૃહસ્થો સંયમ ધર્મના સ્વીકાર વિના પણ સુખ-સાધનો મેળવવાની લાલસા કરે છે. કેટલાક અત્યંત વિષય સુખાંધ કે તૃષ્ણાધ મનુષ્યો પણ આ સુખ-સાધનો માટે તલસે છે. વસ્તુતઃ આ સ્થાન આર્યપુરુષો દ્વારા અનાચરણીય છે, કેવળજ્ઞાન રહિત, અશુદ્ધ છે અને પરિપૂર્ણ સુખરહિત, સગુણ યુક્ત ન હોવાથી અપૂર્ણ અને તુચ્છ છે, ન્યાયયુક્ત નથી, અસંશુદ્ધ–પવિત્ર નથી, માયાદિ શલ્યને કાપનારું નથી, આ મોક્ષ માર્ગ નથી, સમસ્ત કર્મક્ષયરૂપ મુક્તિનો માર્ગ નથી, નિર્વાણનો માર્ગ નથી, નિર્માણ-સંસાર સાગરથી પાર થવાનો માર્ગ નથી, સર્વ દુઃખોનો નાશક માર્ગ નથી, આ એકાંત મિથ્યા અને અશોભનીય સ્થાન છે. આ અધર્મપક્ષનામક પ્રથમ સ્થાનનો વિકલ્પ શ્રી તીર્થંકરદેવોએ આ પ્રમાણે કહ્યો છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં અધર્મપક્ષનામક પ્રથમ સ્થાનની વિસ્તૃત વિચારણા છે. અધર્મપક્ષ – જ્ઞાન-દર્શન રૂ૫ આત્મધર્મને છોડીને પુલ ધર્મને સર્વસ્વ માનવું, પૌલિક પદાર્થોની પ્રાપ્તિ, તેનું સંરક્ષણ અને તેના ભાગમાં જ તલ્લીન રહેવું, તે અધર્મપક્ષ છે. સુત્રકારે ક્રમશઃ અધર્મપક્ષીય લોકો દ્વારા શીખવામાં આવતી સાવધવિદ્યાઓ, પાપમય વ્યવસાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy