SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર | શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) | શબ્દાર્થ -ળો વિતછિદ્ = વિચાર વિમર્શ કર્યા વિના જ વોઇનંત = બિચારા, દીન ભારત = ભાર વહન કરનારા અને સT = આળસુ વસા = વૃષલ-નીચ વિMIT = કૃપણ, ગરીબ, દીન. fધનિય = ધિક્કારપૂર્ણ જીવનને યુવતિને = સ્નાન સંબંધી બધા કાર્ય કરીને, યોડય- સંતઋત્તે = કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરીને રેમાના = ગળામાં માળા પહેરીને આવિ- નળસુવઇને = મણિ અને સુવર્ણના આભૂષણો પહેરીને વધારિયળસુત્તા માલામનાવે = કમ્મરપટ્ટો અને પુષ્પમાળા યુક્ત કંદોરો પહેરીને અદયવસ્થારિદિપ = અખંડ, નવા અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને વેજિત /વારે = શરીરના અંગો પર ચંદનનો લેપ કરીને જૂડા IIR સાતા કૂટાગાર શાળામાં પ્રસ્થીકુમાંરવુ? = સ્ત્રી સમૂહથી ઘેરાયેલા મહયા ય= મહાન પ્રયત્નથી આહત કરાતા નટ્ટ જય વાવ = નાટય, ગીત, વાદ્યતંતી તરનતાર = વીણા, તાલ, હાથ તાળીઓ સુડિયા = તૂર્ય, ઘંટ મુફા = મૃદંગના કુપવાડ્ય = કુશળ વાદકો દ્વારા વગાડવામાં આવતા વેv = સ્વરની સાથે. આવેમાસ = આજ્ઞા દેવા પર આહારનો = લાવીએ ૩વોનો = હાજર કરીએ રેવસિTE = દેવ સ્નાતક–શ્રેષ્ઠ દેવ દેવ નીવળને = દેવ જેવું જીવન જીવનારા અજંતજૂરને = અત્યંત ક્રૂર કર્મ કરનારા ૩ પૂE = અત્યંત ધૂર્તતા ન = દક્ષિણ દિશામાં જનાર જિલ્ડ = કૃષ્ણપાક્ષિક દુલ્લાહવોદિયા-દુર્લભબોધિ. મળજ્ઞાતિ= ઇચ્છા કરે છે ફાંફાડા = તુષ્ણાતુર અMgિs = અપ્રતિપૂર્ણ ાિળા મને = નિર્માણ માર્ગ રહિત અમાઉસ = અધર્મ પક્ષનો. ભાવાર્થ :- કોઈ પાપસાહસી વ્યક્તિ શ્રમણ અને માહણને જોઈ, તેમની સાથે અનેક પ્રકારના પાપમય વ્યવહાર કરે છે અને તે મહાપાપમય વ્યવહારથી મહાપાપી રૂપે કુખ્યાત થાય છે. તે સાધુના દર્શનને અપશુકન માનીને સાધુને પોતાની સામેથી હટાવવા માટે ચપટી વગાડે છે અથવા ઓ ઓદનમુંડ ! દુર્બદ્ધ ! સામેથી દૂર થા, આવા પ્રકારનાં કઠોર વચનો બોલે છે. ભિક્ષાકાળમાં પણ જો સાધુ તેને ત્યાં ભિક્ષા માટે પ્રવેશ કરે, તો પણ તે સાધુને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારાદિ આપતા નથી, બીજા આપતા હોય તો પણ દ્વેષવશ તેને રોકે છે કે આ બિચારા ઘાસ અને લાકડીનો ભાર વેંઢારતા હતા, નીચ કર્મ કરતા હતા, કુટુંબના ભારથી ગભરાયેલા હતા, બહુ આળસુ અને શુદ્ર-નીચ દરિદ્ર અને કુટુંબ પાલનમાં અસમર્થ હોવાથી સુખલિપ્સાથી પ્રવ્રજિત બની ગયા છે, તેમનું જીવન ધિક્કારમય છે. એ દ્રોહી સાધુ પરલોક માટે તપ-સંયમ વગેરે સાધના કરતા નથી, તેઓ દુઃખ પામે છે, શોક પામે છે, પશ્ચાત્તાપ કરે છે, ક્લેશ પામે છે, પીડાવશ માથું કૂટવું આદિ ક્રિયા કરે છે, તે સંતાપ પામે છે. તે દુઃખ, શોક, ઝૂરણા, તાપ, પીડા પરિતાપ, વધ, બંધન આદિ ક્લેશોથી ક્યારે ય નિવૃત્ત થતા નથી. વળી તે પાપી જીવ આ પ્રકારે વ્યવહાર કરતાં પોતાના પૂર્વ પુણ્ય પ્રભાવે મહારંભ તથા મહા સમારંભના વિવિધ પ્રકારનાં પાપકર્મજનક કૃત્યો કરીને ઉત્તમોત્તમ ઉદાર–પ્રધાન મનુષ્ય સંબંધી કામ ભોગનો ઉપભોગ કરે છે, જેમ કે તે આહારના સમયે સરસ સ્વાદિષ્ટ આહારનો, પીવાના સમયે ઉત્તમ પેય પદાર્થોનો, વસ્ત્ર પરિધાન સમયે વસ્ત્રોનો, આવાસના સમયે સુંદર સુસજ્જિત આવાસ સ્થાનનો, શયનના સમયે ઉત્તમ-કોમળ શયનીય પદાર્થોનો ઉપભોગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy