________________
[ ૩૯૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- શ્રી તીર્થકર દેવે તે તે આગમાદિ સ્થાનોમાં જે જીવાદિ પદાર્થોનું સારી રીતે કથન કર્યું છે, તે જ સત્ય છે અને તે જ સુભાષિત છે. તેથી સદા સત્યથી સંપન્ન થઈ પ્રાણીઓ સાથે મૈત્રી ભાવના રાખવી જોઈએ.
भूएहिं ण विरुज्झज्जा, एस धम्मे वुसीमओ ।
वुसीमं जगं परिण्णाय, अस्सि जीवियभावणा ॥ શબ્દાર્થ – મૂર્દિ જ
વિના = પ્રાણીઓની સાથે વેર ન કરે, પણ કુલીન બન્ને આ સાધુઓનો ધર્મ છે, ગુણીનં ના પરિણાવ- સાધુ જગતના સ્વરૂપને જાણીને, નિવિભાવUT = સંયમધર્મની ભાવના કરે.
ભાવાર્થ :- પ્રાણીઓની સાથે વેરવિરોધ ન કરે, આ જ સુસંયમીનો ધર્મ છે. સુસંયમી સાધુ ત્રણસ્થાવરરૂપ જગતના સ્વરૂપને સમ્યકરૂપે જાણી સંયમધર્મની ભાવનાથી આત્માને ભાવિત કરે.
भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया ।
णावा व तीरसंपण्णा, सव्वदुक्खा तिउट्टइ ॥ શબ્દાર્થ :- બાવળાનો મુખ્ય = ભાવનાથી ભાવિત શુદ્ધ આત્માવાળા, અને બાવા દયા = પાણીમાં નાવ સમાન છે, બાવા વ તીરસંપ = તીર (કિનારા) ને પ્રાપ્ત કરીને જેમ નાવ વિશ્રાંતિ પામે, સવ્વલુકા તિક = તે રીતે ઉક્ત પુરુષ બધાં દુઃખોથી મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :- ભાવનાઓના યોગથી જેનો અંતરાત્માં શુદ્ધ થઈ ગયો છે, તેની સ્થિતિ પાણીમાં નૌકાની સમાન સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ કહેવામાં આવી છે. કિનારા પર પહોંચેલી નૌકા વિશ્રામ પામે છે, તેવી જ રીતે ભાવનાયોગથી સંપન્ન સાધક પણ સંસાર સમુદ્રના તટપર પહોંચીને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જાય છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાં શાસ્ત્રકારે મુખ્યરૂપે બે તથ્યોને અભિવ્યક્ત કર્યા છે. (૧) અનુપમ જ્ઞાનવાન તીર્થકરનું માહાત્મ અને (૨) તેઓના દ્વારા કથિત ભાવનાયોગની સાધના. અનામશાની તીર્થકરના અને અન્યદર્શનીના જ્ઞાનમાં અંતર :- તીર્થકર જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મ ચતુષ્ટયનો ક્ષય કરવાના કારણે ત્રિકાલજ્ઞ છે, દ્રવ્ય-પર્યાય સહિત સર્વ પદાર્થના જ્ઞાતા છે, તેઓએ સંશય-વિપર્યય અનધ્યવસાય રૂપ મિથ્યા જ્ઞાનનો અંત કરી નાખ્યો છે, તેથી તેમના જેવું પૂર્ણજ્ઞાન કોઈ તથાગત બુદ્ધ આદિ અન્યદાર્શનિકનું નથી, કારણ કે અન્ય દાર્શનિકોને ઘાતિકર્મ ચતુષ્ટયનો સર્વથા ક્ષય ન થવાથી તેઓ ત્રિકાલજ્ઞ હોતા નથી અને તેઓ દ્રવ્ય-પર્યાય સહિત પદાર્થના જ્ઞાતા પણ હોતા નથી. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org