________________
[ ૩૪૬]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
બારમું અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ "સમવસરણ" છે.
"સમવસરણ" શબ્દના અનેક અર્થ થાય છે, જેમ કે– એકત્ર થવું, મિલન, મેળો, સમુદાય, વિશિષ્ટ અવસરે અનેક સાધુઓનું—એકત્રિત થવાનું સ્થાન, તીર્થંકરદેવની પરિષદ–ધર્મસભા, ધર્મ-વિચાર, આગમવિચાર, આગમન આદિ.
નિર્યુક્તિકારે નિક્ષેપ દષ્ટિથી સમવસરણના અર્થને સ્પષ્ટ કરવા માટે તેનાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છ નિક્ષેપ કર્યા છે. નામ અને સ્થાપના સુગમ છે. સચિત્ત, અચિત્ત અથવા મિશ્ર દ્રવ્યોનું સમવસરણ–એકત્રીકરણ અથવા મિલન તે દ્રવ્ય સમવસરણ છે. જે ક્ષેત્ર અથવા જે કાળમાં સમવસરણ થાય છે, તેને ક્રમથી ક્ષેત્રસમવસરણ અને કાળ સમવસરણ કહે છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક આદિ ભાવોનો સંયોગ તે ભાવ સમવસરણ છે.
આ અધ્યયનમાં દેવકૃત તીર્થકર દેવનું સમવસરણ વિવક્ષિત નથી પરંતુ વિવિધ પ્રકારના વાદો (મતો)અને મતપ્રવર્તકોનું સમેલન જ સમવસરણ શબ્દથી અભીષ્ટ છે. નિર્યુક્તિકારે તેની ગણના ભાવસમવસરણમાં કરી છે અર્થાત્ ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી અથવા ભેદસહિત આ ચારેય વાદોમાં એકાંત દષ્ટિના કારણે જે ભૂલો છે તે દર્શાવી તેને સન્માર્ગમાં સ્થાપિત કરવામાં આવે તે ભાવ સમવસરણ છે. આ અધ્યયનમાં આ ચાર મતો(વાદો)નો ઉલ્લેખ છે.
જે જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ સ્વીકારે છે, તેઓ ક્રિયાવાદી છે. તેથી વિપરીત જે જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ અક્રિયાવાદી છે. જે જ્ઞાનને માનતા નથી, તેઓ અજ્ઞાનવાદી અને જે વિનયથી જ મોક્ષ માને છે, તેઓ વિનયવાદી છે. નિર્યુક્તિકારે ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩ર એમ કુલ ૩૩ ભેદોની સંખ્યા બતાવી છે. વૃત્તિકારે આ ચારે વાદોના ૩૩ ભેદોને નામોલ્લેખપૂર્વક જુદા જુદા બતાવ્યા છે. આ ચારે વાદ એકાન્તવાદી અને સ્વાગ્રહી હોવાથી મિથ્યા છે, સાપેક્ષ દષ્ટિએ માનવાથી સમ્યક થઈ જાય છે.
પૂર્વોક્ત ચારે એકાન્ત મતો(વાદો)માં જે પરમાર્થ છે, તેનો નિશ્ચય કરીને સમન્વય પૂર્વક સમેલન(સમવસરણ) કરવું તે જ આ અધ્યયનનો ઉદ્દેશ્ય છે.
આ અધ્યયનમાં કુલ ૨૨ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org