________________
અધ્યયન-૧૧
૩૩૩ ]
..
શબ્દાર્થ – પુષ્ઠિના = આપને પૂછે તો, તેલિi હસીદેના = તેઓને આ માર્ગ કહેવો જોઈએ, મલાર = તે સારરૂપ માર્ગ. ભાવાર્થ :- જો કોઈ દેવ અથવા મનુષ્ય તમને પૂછે તો તેઓને આ માર્ગ બતાવવો જોઈએ. તે સાર રૂપ માર્ગ તમે મારી પાસેથી સાંભળો.
अणुपुव्वेण महाघोरं, कासवेण पवेइयं ।
जमादाय इओ पुव्वं, समुदं व ववहारिणो ॥ શબ્દાર્થ :-મહોર = અતિકઠિન માર્ગને, સપુષ્ય = હું ક્રમથી બતાવું છું સમુ વહરિનો = જેવી રીતે વ્યાપારી સમુદ્રને પાર કરે છે, ફળો પુલ બનાવાયક આ રીતે આ માર્ગનો આશ્રય લઈને પૂર્વે ઘણા જીવો સંસાર સાગરને પાર કરી ચૂક્યા છે. ભાવાર્થ :- કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત તે અતિકઠિન માર્ગને હું ક્રમથી બતાવું છું. જેવી રીતે સમુદ્ર માર્ગે વિદેશમાં વ્યાપાર કરનારા વ્યાપારી સમુદ્રને પાર કરી લે છે, તેવી રીતે આ માર્ગનો આશ્રય લઈને પહેલાં ઘણાં જીવોએ સંસાર સાગરને પાર કર્યો છે.
__ अतरिंसु तरंतेगे, तरिस्संति अणागया ।
तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणेह मे ॥ શબ્દાર્થ – તં લોન્ચ કવચ્છામિ = તે માર્ગ મેં ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યો છે, નવો i સુદ ને = હે જીવો ! તે માર્ગ આપ મારાથી સાંભળો. ભાવાર્થ :- આ માર્ગનો આશ્રય લઈ ભૂતકાળમાં અનેક ભવ્ય જીવોએ સંસાર સાગરને પાર કર્યો હતો. વર્તમાનમાં કેટલાંક ભવ્ય જીવ સંસારને પાર કરે છે, ભવિષ્યમાં ઘણા જીવો તેને પાર કરશે. હે જિજ્ઞાસુ જીવો ! તે ભાવમાર્ગને તીર્થકર મહાવીર પાસેથી મેં જે રીતે સાંભળ્યો છે, તે માર્ગને મારી પાસેથી સાંભળો!
વિવેચન :
આ છ ગાથાઓમાંથી ત્રણ ગાથાઓમાં ગણધર શ્રી સુધર્માસ્વામીને શ્રી જંબૂસ્વામીએ સંસાર સાગર તારક, સર્વદુઃખ વિમોચક, અનુત્તર, શુદ્ધ, સરળ એવા ભાવમાર્ગ વિષયક પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી છે. તે ઉપરાંત અનુરોધ કર્યો છે કે કોઈ સુલભબોધિ, સંસારથી ઉદ્વિગ્ન દેવ અથવા માનવ તે સમ્યગુમાર્ગના વિષયમાં અમને પૂછે તો અમે શું ઉત્તર આપીએ ? ત્યાર પછીની ત્રણ ગાથાઓમાં તે માર્ગની મહત્તા બતાવી, તે સારભૂત માર્ગના સંબંધમાં જિજ્ઞાસાનું સમાધાન કરવાની તૈયારી શ્રી સુધર્માસ્વામીએ બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org