________________
કરવાનો પ્રશંસનીય પુરુષાર્થ કર્યો છે. તેનું અમને ગૌરવ છે. અમે મુક્ત–લીલમ ગુણી ભાવનાશીલ ભાવે શુભેચ્છા પાઠવીએ છીએ કે આગમ અનુસાર આપ યથાર્થ સાધકદશા કેળવી સ્વરૂપમાં સમાય જવાનો પુરુષાર્થ કરો. પામેલો પમાડી શકે તો સ્વ–પરને સ્વરૂપ પમાડવાનું નિમિત્ત બનો તેવી અંતઃકરણની મંગલ ભાવના.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર પૂ. ત્રિલોક મુનિવર્યને શત કોટી વંદના. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરુભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ શ્રીયુતશ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા રમણિકભાઈ એવું આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી દઢ સંકલ્પી તપસ્વિની વિજયાબહેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈનસંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા આગમના શ્રુતજ્ઞાનદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે ત્રુટિ રહી જવા પામી હોય, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ..
બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ"તણા તારક થયા, એવા ગુરુણી "ઉજમ-ફૂલ–અંબામાત" ને વંદન કરું છું ભાવ ભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ.પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા – આર્યા લીલમ.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt