SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ભાવાર્થ- જે બળથી સંગ્રામમાં શત્રુસેના પર વિજય પ્રાપ્ત કરાય છે, તે પરમાર્થ રૂપે વીર્ય નથી, પરંતુ જે બળથી કામ ક્રોધાદિ આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે છે, તે જ વાસ્તવમાં વીર–મહાપુરુષોનું વીર્ય છે, આ વચન મેં આ મનુષ્ય જન્મમાં અથવા સંસારમાં તીર્થકરો પાસેથી સાંભળ્યું છે. (૨) ગાયતકું સુબાલા વીરસ્ય વરિયે | ભાવાર્થ-આયત અથવા મોક્ષ. આયતાર્થ = મોક્ષરૂપ અર્થ અથવા મોક્ષરૂપ પ્રયોજન. સાધક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ માર્ગને સમ્યફપ્રકારે ગ્રહણ કરીને જે ધૈર્યબળ થી કામ ક્રોધાદિ પર વિજય પ્રાપ્ત કરવા માટે પરાક્રમ કરે છે. તે જ વીરનું વીર્ય છે. અશુદ્ધ અને શુદ્ધ પરાક્રમ - न जे याऽबुद्धा महाभागा, वीरा असम्मत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं, सफलं होइ सव्वसो ॥ શબ્દાર્થ :- જે થવું = જે પુરુષ ધર્મના રહસ્યને જાણતા નથી, મામા = પરંતુ જગતમાં પૂજનીય માનવામાં આવે છે, વીરા = શત્રુની સેનાને જીતવામાં વીર છે, અમરળિો = તથા સમ્યગ્દર્શનથી રહિત છે, સં પરત લુદ્ધ = તેઓનો તપ, દાનાદિનો ઉધમ અશુદ્ધ છે, સવ્વલો સપનં હોદ્દ = તે કર્મબંધ માટે સફળ હોય છે. ભાવાર્થ :- જે વ્યક્તિ અબુદ્ધ(ધર્મના વાસ્તવિક તત્ત્વથી અજાણ) છે, પરંતુ જગતમાં પૂજાય છે. તેમજ શત્રુસેના અથવા પ્રતિવાદીને જીતવામાં વાગ્વીર છે તથા મિથ્યાદષ્ટિ છે તેવા લોકોનું તપ, દાન, અધ્યયન, યમ નિયમ આદિમાં કરાયેલું પરાક્રમ(વીર્ય) અશુદ્ધ છે, તેમનું તે પરાક્રમ કર્મબંધરૂપ ફળયુક્ત હોય છે. ___ जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं, अफलं होइ सव्वसो ॥ શબ્દાર્થ - વીરા = કર્મનું વિદારણ કરવામાં નિપુણ, અપpi હોદ્દ = તે કર્મબંધ માટે નિષ્ફળ હોય છે એટલે કે કર્મના નાશ રૂપ મોક્ષ માટે હોય છે. ભાવાર્થ :- જે સાધક પદાર્થના જ્ઞાતા છે, મહાભાગ્યવાન છે, કર્મવિદારણ કરવામાં સહિષ્ણુ અથવા જ્ઞાનાદિ ગુણોથી વિરાજિત(વીર) છે તથા સમ્યક્દષ્ટિ છે, તેઓનું તપ, અધ્યયન, યમનિયમ આદિ સમસ્તપરાક્રમ શુદ્ધ અને સર્વથા કર્મબંધરૂપ ફળથી રહિત માત્ર કર્મક્ષય માટે હોય છે. तेसि पि तवो सुद्धो, णिक्खंता जे महाकुला । जं णेवण्णे वियाणंति, ण सिलोगं पवेयए ॥ શબ્દાર્થ :- તેલં પિ તવો મુદ્દો = તેઓનું તપ પણ શુદ્ધ છે, ને મહાશુના જતા = મોટાકળવાળાએ દીક્ષા લઈને પણ, ગં અને વરિયાતિ = અન્ય લોકો જાણે નહીં તે રીતે તપ કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy