________________
અધ્યયન-s
| ૨૫ ]
શદાર્થ - અમથષથી શ્રેષ્ઠ છે.
૬ -અભયદાન શ્રેષ્ઠ છે, અળવજ્ઞ = જેમાં કોઈને પીડાનથાય તેવુ સત્ય
ભાવાર્થ :- દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યવચનોમાં નિષ્પાપ, જે પરપીડા ઉત્પાદક ન હોય તેવું સત્ય શ્રેષ્ઠ છે, તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ તપ છે, તેવી રીતે લોકમાં શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીર સ્વામી ઉત્તમ
. ठिईण सेट्ठा लवसत्तमा वा, सभा सुहम्मा व सभाण सेट्ठा । ૨૪.
णिव्वाणसेट्ठा जह सव्वधम्मा, ण णायपुत्ता परमत्थि णाणी ॥ શબ્દાર્થ :- નવલત્તા = લવ સપ્તક એવા અનુત્તર વિમાનવાસી દેવ, સુહા વ સમા = સુધર્મા સભા, ગાદ સબ્સન્મા fબ્બાટ્ટા = સર્વ ધર્મોમાં જેમ મોક્ષ શ્રેષ્ઠ છે, પણ જયપુરા પરમ0િ Tળ = એવી રીતે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીથી કોઈ શ્રેષ્ઠ જ્ઞાની નથી. ભાવાર્થ :- સમસ્ત સ્થિતિ(આયુષ્ય)વાળાઓમાં સાત લવની સ્થિતિવાળા પાંચ અનુત્તર વિમાનવાસી દેવ શ્રેષ્ઠ છે, સમસ્ત સભાઓમાં સુધર્માસભા શ્રેષ્ઠ છે તથા સર્વ ધર્મોમાં નિર્વાણ (મોક્ષ) શ્રેષ્ઠ ધર્મ છે, તે રીતે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર મહાવીરથી વધુ શ્રેષ્ઠ કોઈ જ્ઞાની નથી.
વિવેચન :
આ ૧૦ ગાથાઓમાં વિવિધ પદાર્થો સાથે ઉપમા આપીને ભગવાન મહાવીરની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સંસારના સર્વશ્રેષ્ઠ પદાર્થોની ઉપમા આપીને ભગવાનની વિભિન્ન વિશેષતાઓ, મહત્તાઓ અને શ્રેષ્ઠતાઓનું નિમ્નોક્ત પ્રકારે નિરૂપણ કર્યું છે. ૧ જેવી રીતે દીર્ધાકાર પર્વતોમાં નિષધ અને વલયાકાર પર્વતોમાં રુચક શ્રેષ્ઠ છે તેમ પ્રજ્ઞાવંત એવા
ભગવાન મહાવીર મુનિઓમાં શ્રેષ્ઠ છે.
ભગવાનનું સર્વોત્તમ ધ્યાન શુક્લધ્યાન છે, જે શંખ, ચંદ્ર આદિ અત્યંત શુક્લ વસ્તુઓની જેમ વિશુદ્ધ અને નિર્મળ છે. ભગવાને ક્ષાયિક જ્ઞાનાદિના બળથી સર્વકર્મોનો ક્ષય કરીને પરમસિદ્ધિ-આત્માની પરમવિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે. જેવી રીતે વૃક્ષોમાં દેવકુરુક્ષેત્રનું શાલ્મલિવૃક્ષ તથા વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે તેમ, ભગવાન જ્ઞાન અને ચારિત્રમાં સર્વશ્રેષ્ઠ છે. જેમ ધ્વનિઓમાં મેઘધ્વનિ, તારાઓમાં ચંદ્રમા અને સુગંધિત પદાર્થોમાં ચંદન શ્રેષ્ઠ કહેવાય છે તેમ, મુનિઓમાં લૌકિક સુખની આકાંક્ષાથી રહિત ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org