________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૧
_
[ ૧૪૩ |
શબ્દાર્થ :- બિતાવેજ = ગ્રીષ્મ ઋતુના અભિતાપ-ગરમીથી, પકે = સ્પર્શ પામેલો, વિન = ઉદાસ, પ્રવાસા = તુષાથી દીન થઈ જાય છે, તત્વ = આ પ્રમાણે ગરમીનો પરીષહ પ્રાપ્ત થવાથી, મા = મૂઢ પુરુષ, વિલીયંતિ = વિષાદનો અનુભવ કરે છે, કષ્ટનો અનુભવ કરે છે. ભાવાર્થ :- ગ્રીષ્મ ઋતુના પ્રચંડ તાપના સમયે સાધક ઉદાસ અને તૃષાથી આકુળ વ્યાકુળ થઈ જાય છે તે ભયંકર ઉષ્ણ પરીષહનો ઉપસર્ગ આવે ત્યારે જેમ થોડા પાણીમાં માછલી વિષાદ અનુભવે તેમ મંદ સાધક વિષાદ અનુભવે છે.
વિવેચન :
આ બે ગાથામાં હેમંત ઋતુમાં શીત અને ગ્રીષ્મઋતુમાં ઉષ્ણ પરીષહરૂપ ઉપસર્ગોના સમયે મંદસાધક કેવી રીતે વિષાદનો અનુભવ કરે છે, તે ઉપમા દ્વારા સમજાવવામાં આવ્યું છે. ન સંતગ્નિ ...
રાણા ૧ હરિયા :- જ્યારે હેમંતઋતુના પોષ-મહા મહીનાની કાતિલ ઠંડી શરીરનાં બધાં અંગોને સ્પર્શે ત્યારે અસહ્ય શીત સ્પર્શથી કેટલાક મંદ, અલ્પપરાક્રમી, ભારેકર્મી સાધક રાજ્યભ્રષ્ટ ક્ષત્રિયની જેમ વિષાદનો અનુભવ કરે, દુઃખનો અનુભવ કરે છે.
પુણે જિલ્લામતવેષ...કચ્છ અખોવા નહીં :- ગ્રીષ્મઋતુ-વૈશાખ-જેઠમાં જ્યારે ભયંકર ગરમી પડે, લૂ વરસે, સૂસવાટા મારતી ગરમ હવા શરીરને સ્પર્શે, કંઠ તૃષાથી સૂકાય જાય, તે સમયે અલ્પપરાક્રમી સાધક ઉદાસ, ખિન્ન તેમજ બેચેન થઈ જાય છે. આવી સ્થિતિમાં વિવેકપૂઢ, અલ્પસત્વવાળો નવદીક્ષિત સાધક એકદમ અકળાઈ ઊઠે છે. જેમ ભયંકર તાપમાં અલ્પ જલમાં માછલી સંતપ્ત છે, તેમ ઉષ્ણ પરીષહના સમયે કાયર સાધક પણ તરફડે છે.
બન્ને ગાથાઓનું તાત્પર્ય એ છે કે ઠંડીનો ઉપસર્ગ હોય કે ગરમીનો, સાધકે પોતાનું મનોબળ, વૈર્ય અને આત્મબળ દઢ રાખવું જોઈએ. ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવાથી કર્મનિર્જરા, આત્મબળ અને સહનશક્તિમાં વૃદ્ધિ થાય છે. એમ વિચારીને ઉપસર્ગ સહન કરવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ. આ બન્ને ઉપસર્ગોમાં શીતોષ્ણ, તૃષા, અચલક, અરતિ આદિ પરીષહોનો સમાવેશ થઈ જાય છે. ચાચના-આક્રોશ પરીષહરૂપ ઉપસર્ગ :
सया दत्तेसणा दुक्खं, जायणा दुप्पणोल्लिया । कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढो जणा ॥ एते सद्दे अचायंता, गामेसु णगरेसु वा ।
तत्थ मंदा विसीयंति, संगामंसि व भीरुणो । શબ્દાર્થ - વસા = બીજાઓ દ્વારા આપેલી વસ્તુની જ ગવેષણા કરવી, દુર્વ = આ દુઃખ, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org