________________
૧૪૦
પ્રથમ ઉદ્દેશક
પ્રતિકૂળ ઉપસર્ગ :
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ત્રીજું અધ્યયન
ઉપસર્ગ પરિજ્ઞા
Jain Education International
सूरं मण्णइ अप्पाणं, जाव जेयं ण पस्सइ । जुज्झतं दढधम्माणं, सिसुपालो व महारहं ॥
१
શબ્દાર્થ :- જ્ઞેય = વિજેતા પુરુષને, ગુન્નત - યુદ્ધ કરતા, મહારä = મહારથી, ધમ્માળ = દઢ ધર્મવાળા શ્રી કૃષ્ણને જોઈને, ભિક્ષુપાતો વ = જેવી રીતે શિશુપાલ ક્ષોભને પ્રાપ્ત થયો હતો.
ભાવાર્થ :- જ્યાં સુધી વિજેતા પુરુષને જોતો નથી ત્યાં સુધી કાયર પોતાની જાતને શૂરવીર માને છે. યુદ્ધ કરતા દઢધર્મી મહારથી શ્રી કૃષ્ણને યુદ્ધ ભૂમિ પર જોયા ન હતા ત્યાં સુધી શિશુપાલ શૂરવીરતાના અહં સાથે ફરતો હતો પરંતુ શ્રીકૃષ્ણને જોતાં જ શિશુપાલ ભયભીત બની જાય છે.
३
पयाया सूरा रणसीसे, संगामम्मि उवट्ठिए । माया पुत्तं ण याणाइ, जेएण परिविच्छए ॥
२
=
=
શબ્દાર્થ :- સંમમ્મિ = યુદ્ધમાં, વક્રિશ્ = ઉપસ્થિત, રળલીસે = યુદ્ધના અગ્રભાગમાં, પાયા – ગયેલા, સૂરા - શૂરવીર પુરુષ, માયા = માતાને, પુત્ત = પોતાના પુત્ર, ૫ યાળાઽ = ખોળામાંથી પડી જાય તો પણ ખ્યાલ ન રહે તેવા વ્યગ્રતાવાળા યુદ્ધમાં, નેફ્ળ = વિજેતા પુરુષ દ્વારા, પરિવિ∞ણ્ = છેદન ભેદન કરાયેલો કાયર પુરુષ દીન થઈ જાય છે.
GOGOGOG
ભાવાર્થ :- યુદ્ધ છેડાય ત્યારે મોરચાપર પહોંચેલા પોતાને શૂરવીર માનતા યોદ્ધાઓ માતા પોતાના ખોળામાંથી બાળક સરી પડે તો પણ તેને ખબર ન પડે તેવા કાળજુ કંપાવી દે તેવા ભયંકર યુદ્ધમાં, જ્યારે વિજેતા પુરુષ દ્વારા ક્ષત-વિક્ષત કરાય છે ત્યારે દીન બની જાય છે.
एवं सेहे वि अप्पुट्टे, भिक्खायरिया अकोविए । सूरं मण्णति अप्पाणं, जाव लूहं ण सेवइ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org