________________
અધ્યયન-ર/ઉદ્દેશક-૩
[ ૧૩૧ |
આયરે - આત્મપરાયણ હોય. વૃત્તિકારે તતડડન પરમિન્દ્ર પોતાના અને પરના સંબંધમાં પ્રયત્ન કરે, આવો જ અર્થ કર્યો છે. સાધુની પ્રત્યેક પ્રવૃત્તિ આત્મકેન્દ્રિત હોવી જોઈએ. જે પ્રવૃત્તિ આત્માને માટે અહિતકર, આત્મવિશુદ્ધિબાધક, કર્મબંધ જનક, દોષવર્ધક અને આત્મગુણોની ઘાતક હોય તેનાથી દૂર રહેવું તે આત્મપરકતા અથવા આત્મપરાયણતા છે. જે પ્રવૃત્તિ આત્મા માટે અકલ્યાણકાર, અહિતકર હોય પરંતુ બીજાને તેનાથી અર્થ આદિનો લાભ થતો હોય તો પણ તે ન કરે. પરમ ક્રિા :- પરમાયતુ–મોક્ષના લક્ષ્યમાં સ્થિત રહે. પરમ એટલે ઉત્કૃષ્ટ અને આયત એટલે દીધું હોય તે પરમઆયત કહેવાય અર્થાત્ સદાકાળનું શાશ્વત સ્થાન, શ્રેષ્ઠધામ, એવો મોક્ષ છે. સાધુ તે પરમાયત લક્ષ્યમાં સ્થિત તથા તે પરમાયતનો અર્થ પરમાતાર્થિક–મોક્ષાભિલાષી હોય. પોતાનાં મન, વચન, કાયાને સાધુ મોક્ષરૂપી લક્ષ્યમાં જ સ્થિર રાખે. ક્યારેક મોક્ષને લક્ષ્ય બનાવી લે, ક્યારેક અર્થ અથવા કામને, કયારેક કોઈ ક્ષુદ્ર (સામાન્ય) પદાર્થને, આ રીતે લક્ષ્યને અસ્થિર ન કરે.
આ ૧૧ આચરણ સૂત્રોને હૃદયંગમ કરી સાધુએ મોક્ષયાત્રા કરવી જોઈએ.
અશરણ ભાવના :
૭
वित्तं पसवो य णाइओ, तं बाले सरणं ति मण्णइ ।
एते मम तेसिं वा अहं, णो ताणं सरणं च विज्जइ ॥ ભાવાર્થ :- અજ્ઞાની જીવ ધન, પશુ અને જ્ઞાતિજનોને પોતાનાં શરણભૂત–શરણદાતા અથવા રક્ષક માને છે અને સમજે છે કે આ મારાં છે, હું પણ તેઓનો છું પરંતુ વસ્તુતઃ આ બધા તેને માટે ન તો ત્રાણરૂપ છે કે ન તો શરણરૂપ છે.
अब्भागमियम्मि वा दुहे, अहवोवक्कमिए भवंतिए । ___ एगस्स गई य आगई, विउमंता सरणं ण मण्णइ ॥ શબ્દાર્થ – ૩૦ મિક્સ વા કુ = દુઃખ આવવા પર, ૩વનિ = ઉપક્રમના કારણોથી આયુષ્ય નષ્ટ થવા પર, મતિ = મૃત્યુ ઉપસ્થિત થવા પર, ભવનો અંત થવા પર. ભાવાર્થ :- દુઃખ આવી પડે ત્યારે, ઉપક્રમ–અકાલમરણનાં કારણોથી આયુષ્ય સમાપ્ત થાય ત્યારે અથવા ભવનો અંત (દેહાંત) થાય ત્યારે જીવે એકલાએ જ આવાગમન કરવું પડે છે. તેથી વિદ્વાન પુરુષ ધન, સ્વજન આદિને પોતાનું શરણ માને નહીં.
सव्वे सयकम्मकप्पिया, अवियत्तेण दुहेण पाणिणो । हिंडंति भयाउला सढा, जाई-जरा-मरणेहिऽभिट्ठया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org