________________
અધ્યયન–૨/ઉદ્દેશક-૧
वेयालियमग्गमागओ, मण वयसा काएण संवुडो ।
२२
चिच्चा वित्तं च णायओ, आरंभं च सुसंवुडे चरे ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- વેયાલિયમન્ત્ર = કર્મનું વિદારણ કરવામાં સમર્થ માર્ગમાં, સુસંવુડે રે- સંવૃત્ત-ઉત્તમ સંયમી થઈને વિચરવું જોઈએ.
ભાવાર્થ :- હે સાધુઓ ! તમે કર્મોને નાશ કરવાના સમર્થ એવા માર્ગ પર આવી ગયા છો, તેથી મન, વચન, કાયાથી સંવૃત બની ધનસંપતિ તથા જ્ઞાતિજનો તેમજ સાવધ કાર્યોને છોડી, ઈન્દ્રિયસંયમી થઈને વિચરણ કરો !
૯૪
વિવેચન :
આ બન્ને ગાથામાં સુવિહિત સાધકોને મહાપથ પર ચાલવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં આ મહાપથ પર ચાલનારની યોગ્યતા તથા ગુણોને બતાવતા સાત નિર્દેશ સૂત્રો આ પ્રમાણે છે. (૧) ભવ્ય—મોક્ષમાં જવાને યોગ્ય હોય (૨) આંતર્નિરીક્ષણ કરતા હોય ! (૩) સ ્—અસના વિવેકયુક્ત–પંડિત હોય (૪) પાપકર્મથી વિરત હોય (૫) કષાયોથી નિવૃત્ત—શાંત હોય, સિદ્ઘ પથ, ન્યાયયુક્ત અને ધ્રુવ એવા મહામાર્ગ પર સમર્પિત હોય (૬) મન વચન કાયાથી સંયત–સંવૃત્ત હોય (૭) ધનસંપત્તિ, કુટુંબ કબીલા તેમજ પાપકારી આરંભ સમારંભનો ત્યાગ કરી ઉત્તમ સંયમી બનીને વિચરણ કરતા હોય.
પળયા વીરા મહાવીહિં :- વીર = પરીષહ–ઉપસર્ગ અને કષાયસેના ઉપર વિજય પ્રાપ્ત કરનાર વીર્યવાન, આત્મશક્તિશાળી પુરુષ, મહાવીથી– મહામાર્ગ–સમ્યગ્દર્શન આદિ રૂપ મોક્ષમાર્ગ પ્રત્યે પ્રણત છે, સમર્પિત છે. અહીં વીજ્ઞ નો અર્થ વૃત્તિકારે "કર્મ વિદારણ સમર્થ" એવો કર્યો છે. મહાવીહિં શબ્દના જ સિદ્ધિપä, જેયાય તેમજ ધ્રુવ આ ત્રણ વિશેષણો છે. વૃત્તિકારે પેયાયં નો અર્થ 'મોક્ષ તરફ લઈ જનારો' તેવો કર્યો છે. આવશ્યક સૂત્રના શ્રમણસૂત્રમાં તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં ખેયાલયં નો અર્થ ન્યાયયુક્ત કે ન્યાયપૂર્ણ કરવામાં આવ્યો છે. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં પણ આ વાક્ય આવે છે. પળયા વીરા મહાવીહૈિં ના સ્થાને શીલાંક આચાર્યકૃત વૃત્તિ સહિત મૂળપાઠમાં પણ્ વી મહાવિહિં આ પ્રમાણે પાઠાંતર છે. ચૂર્ણિકારે એક વિશેષ પાઠાન્તરનું ઉદ્ધરણ કર્યું છે. પળતા વીશ્વેતગુત્તર તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વિતિભાવિધિ ગં બિહામિ, અનુત્તર અરિસ, અણુત્તર વા ઢાળવિ આ ભાવિવિધ અનુત્તર અસદેશ, અપ્રતિમ છે અથવા સ્થાનાદિ અનુત્તર છે. તેના પ્રતિ પ્રણત = સમર્પિત હોય.
કે
Jain Education International
તન્હા વિ ફ્રન્તુ પંડિ, પાવાઓ વિમિખિવુડે :- આ ગાથામાં સર્વ પ્રથમ આંતરિક નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે કે "સાધક પુરુષ ! તું મોક્ષાર્થી છો, પંડિત છો, માટે પાપકર્મોનાં પરિણામોનો વિચાર કરીને, પાપજનક જે કોઈપણ સ્થાન અથવા કાર્ય હોય તેનાથી વિરત થઈ, કષાય અને રાગદ્વેષ આદિથી સર્વથા નિવૃત્ત—શાંત થઈ જા. શાંત ચિતે આત્મભાવમાં રમણ કર. વેયાલિયમન...પરેષ્નાસિ :- ભગવાન આદિનાથ ઋષભદેવે પોતાના પુત્રોને ઉપદેશ આપવાની
For Private Personal Use Only
www.jainelibrary.org