________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ - વિશ્વ fમણૂક વિદ્વાન સાધુ, સં ૨= તે અન્યતિર્થીઓને, પરિણાય= જાણીને, તેનું જ મુશ્કેપ = તેઓમાં મૂછ ન કરે, મુળ= સાધુ, પુજસે = મદ ન કરે, = કોઈની સાથે સંબંધ ન રાખે, મો = મધ્યસ્થવૃત્તિથી, શાવર = વ્યવહાર કરે. ભાવાર્થ :- વિદ્વાન ભિક્ષુ આરંભ પરિગ્રહમાં આસક્ત તે અન્યતીર્થી સાધુઓને સારી રીતે જાણીને તેનામાં મમત્વ ન રાખે. તે મુનિ કોઈ પ્રકારનો મદ ન કરે. અન્યતીર્થિક, ગૃહસ્થો તેમજ શિથિલાચારીઓની સાથે સંસર્ગરહિત થઈ , મધ્યસ્થ ભાવથી સંયમી જીવનનું પાલન કરે અથવા મધ્યસ્થ વૃત્તિથી જીવન નિર્વાહ કરે.
सपरिग्गहा य सारंभा, इहमेगेसिमाहियं ।
अपरिग्गहे अणारभे, भिक्खू ताणं परिव्वए । શબ્દાર્થ – સપરિવાર - પરિગ્રહ રાખનારા, સારંભ = આરંભ કરનારા જીવો, મોક્ષ પ્રાપ્ત કરે છે એમ, અપરિતાદે અગામે = પરિગ્રહ અને આરંભ રહિત પુરુષના, તા = શરણમાં, પરિબ્બા = જાય. ભાવાર્થ:- મોક્ષના સંબંધમાં કેટલાક મતવાદીઓનું કથન છે કે પરિગ્રહધારી અને આરંભથી જીવનારા જીવો પણ મોક્ષ પ્રાપ્ત કરે છે પરંતુ ભાવભિક્ષુ તેઓની વાતનો સ્વીકાર ન કરતા અપરિગ્રધારી અને અનારંભી, આરંભરહિત મહાત્માઓના શરણમાં જાય છે.
कडेसु घासमेसेज्जा, विऊ दत्तेसणं चरे ।
अगिद्धो विप्पमुक्को य, ओमाणं परिवज्जए ॥ શબ્દાર્થ - હેલું = બીજા દ્વારા કરેલા આહારમાંથી, વિક્ર = વિદ્વાન પુરુષ, વાસં = આહારની, પન્ના = ગવેષણા કરે, વસઈ = દીધેલા આહાર લેવાની ઇચ્છા, ઘરે = કરે, શો, વિપકુવો = આસક્તિ રહિત તથા રાગદ્વેષ રહિત થઈને, પરિવા = બીજાનું અપમાન ન કરે. ભાવાર્થ- સમ્યકજ્ઞાની વિદ્વાન સાધુ, ગૃહસ્થ પોતા માટે બનાવેલા આહારમાંથી યથોચિત્ત આહારની ગવેષણા કરે તથા તે આપેલા આહારને(વિધિપૂર્વક) લેવાની ઈચ્છા કરે. આસક્તિ રહિત તેમજ રાગ દ્વેષથી મુક્ત થઈ આહારનું સેવન કરે તથા મુનિ કોઈનું અપમાન ન કરે. બીજા દ્વારા કરેલા પોતાના અપમાનને મનમાંથી કાઢી નાખે.
વિવેચન :નિગ્રંથને સંયમ ધર્મનો ઉપદેશ :- આ ચાર ગાથામાં નિગ્રંથ સાધુને સંયમ ધર્મનો અથવા સ્વકર્તવ્યનો બોધ આપવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે(૧) અન્ય યૂથિકો સાધુ માતા, બંધુ વગેરે પૂર્વ સંબંધને ત્યાગવા છતાં સાવધ કાર્યના ઉપદેશક હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org