________________
પ્રથમ શ્રુતસ્કંધમાં વિદ્યમાન છે. બીજા શ્રુતસ્કંધમાં તેનો વિસ્તાર છે, તેથી બીજા શ્રુતસ્કંધને પ્રથમ શ્રુતસ્કંધનું પરિશિષ્ટ પણ કહી શકાય છે.
પ્રથમ શ્રુતસ્કંધમાં સાધકની આત્યંતર ભાવવિશુદ્ધિની મુખ્યતા છે અને બીજા શ્રુતસ્કંધમાં પાંચે સમિતિની શુદ્ધિ દ્વારા બાહ્યાચાર શુદ્ધિની પ્રધાનતા છે. આ રીતે શ્રી આચારાંગ સૂત્રમાં સાધકને બાહ્ય અને આત્યંતર સાધના માટેનું માર્ગદર્શન સર્વાશે પ્રાપ્ત થઈ જાય છે. તેથી જ દ્વાદશાંગીમાં તેની અગ્રતા સહજ સિદ્ધ થાય છે.
દ્વિતીય શ્રુતસ્કંધના કર્તા:- આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના રચયિતા ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ પટ્ટધર પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી છે. તે કથન નિર્વિવાદ છે પરંતુ બીજા શ્રુતસ્કંધના કર્તા વિષયક ભિન્ન-ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક આચાર્યો તેને સ્થવિરકૃત માને છે, પરંતુ સ્થવિરનું કોઈ ચોક્કસ નામ ઉપલબ્ધ નથી. તે
વિરકૃત હોય, તેવું કોઈ અન્ય ચોક્કસ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. તે ઉપરાંત બંને શ્રુતસ્કંધના વિષયો પરસ્પર પૂરક છે. ભાષાની ભિન્નતા હોવા છતાં વિષય અનુસાર ભાષાનો પ્રયોગ થયો છે.
આચારાંગ ચૂર્ણિ તથા નિશીથ ચૂર્ણિમાં થેT Mધરી ! ગણધરને સ્થવિરા કહ્યા છે. વૃત્તિકાર શ્રી શીલાંકાચાર્યના મતાનુસાર શ્રત વૃદ્ધચ્ચતુર્દશપૂર્વવિદ્ધિ I ચૌદ પૂર્વધર શ્રુતવૃદ્ધ મુનિને સ્થવિર કહે છે. આ રીતે ગણધરો તથા ચૌદ પૂર્વધરો માટે સ્થવિર શબ્દનો પ્રયોગ પ્રાચીન કાલથી પ્રચલિત છે, તેથી બીજા શ્રુતસ્કંધના કર્તા સ્થવિર ગણધર ભગવંત હોય, તે યથોચિત જણાય છે.
શ્રી દશવૈકાલિક સૂત્રની રચના વીર નિર્વાણ પછી ૫૮ વર્ષે શ્રી શય્યભવાચાર્યે કરી, ત્યારે તેમની સમક્ષ આચારાંગ સૂત્રનો બીજો શ્રુતસ્કંધ વિદ્યમાન હશે, તેવું સ્પષ્ટ જણાય છે. બીજા શ્રુતસ્કંધનું પિંડેષણા અધ્યયનના પદ્યાનુવાદ રૂપે જ દશવૈકાલિક સૂત્રનું પાંચમું પિંડેષણા અધ્યયન છે. દશવૈકાલિક સૂત્રના ચોથા છજીવનિકાયની રચના પંદરમા “ભાવના” અધ્યયનના આધારે, “સુવાક્યશુદ્ધિ' નામના સાતમા અધ્યયનની રચના આચારાંગ સૂત્રના ચોથા ભાષાજાનૈષણાના અધ્યયનના આધારે થઈ હોય તેમ સ્પષ્ટ પ્રતીત થાય છે, તેથી સિદ્ધ થાય છે કે શર્ભવાચાર્યની સમક્ષ આચારાંગ સૂત્રનો બીજો શ્રુતસ્કંધ વિદ્યમાન હતો. તે ઉપરાંત પંદરમાં ‘ભાવનાસ અધ્યયનનો ઉલ્લેખ શ્રી સમવાયાંગસૂત્ર તથા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં છે.
59
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary