SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧૫ , ૩ર૭ | કરણ-કોટિ :- મહાવ્રતનો સ્વીકાર ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. હિંસાની પ્રવૃત્તિ સ્વયં કરવી નહીં, બીજા પાસે કરાવવી નહીં અને હિંસા કરનારની અનુમોદના કરવી નહીં, આ ત્રણ કરણ છે અને મન, વચન, કાયા આ ત્રણ યોગ છે. નિગ્રંથ મુનિ ત્રણ કરણ x ત્રણ યોગ = નવ કોટિથી હિંસાનો ત્યાગ કરે છે. મહાવ્રતના સ્વીકારની પદ્ધતિ:- સાધક જ્યારે સર્વ જીવોની સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવા કટિબદ્ધ થાય, ત્યારે તે સાધકે પોતાના ભૂતકાળમાં હિંસાજન્ય જે જે દોષોનું સેવન કર્યું છે, તેની આલોચના અને પ્રતિક્રમણ કરીને ગુરુ સમક્ષ ગહ, કરે છે. આલોચના, નિંદા અને ગહ આ ત્રણે પ્રક્રિયા મહાવ્રત ગ્રહણની ક્ષેત્ર વિશુદ્ધિ રૂપ છે. આ ત્રણે ક્રિયાથી સાધકનું ચિત્ત વિશુદ્ધ થાય, ત્યાર પછી તેનો સર્વ હિંસાના ત્યાગનો સંકલ્પ ફળીભૂત થાય છે. આ રીતે સાધક હિંસા ત્યાગની દઢતમ ભાવના સાથે ગુરુ સમક્ષ ઉપસ્થિત થાય, પોતાના પૂર્વકૃત પાપોની આલોચના, નિંદા અને ગહ કરીને, આત્માના હિંસાકારી ભાવોનો ત્યાગ કરીને, આત્માના અહિંસક ગુણના પ્રગટીકરણ માટે, ત્રણ કરણ અને ત્રણ યોગથી સર્વ પ્રકારની હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા ગુરુ સમક્ષ ગ્રહણ કરે છે. વોસિરામિ- વોસિરાવું છું. મારા આત્માને પાપથી દૂર કરું છું. સાધક સ્વયં પ્રત્યાખ્યાન કરે ત્યારે પ્રથમ પુરુષ એક વચનમાં ક્રિયાપદનો પ્રયોગ કરે છે અને ગુરુ પ્રત્યાખ્યાન કરાવે ત્યારે વસિદ- તમારા આત્માને પાપથી દૂર કરો, તેમ આજ્ઞાર્થ બીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદનો પ્રયોગ કરે છે. પ્રસ્તુતમાં ભગવાને સંયમ લેવા માટે તત્પર સાધુને પ્રત્યાખ્યાનની વિધિનો ઉપદેશ આપ્યો છે, તેથી ‘વોસિરામિ’ ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના - આત્માને પ્રશસ્ત ભાવોથી ભાવિત કરે, તે ભાવના છે. જેમ વૈદ્યો ઔષધિને પુટ આપીને અધિક બળવત્તર બનાવે છે, તેમ અમુક જ ભાવોનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે ભાવો વિશેષ દઢતમ બને છે. મહાવ્રતોની પુષ્ટિ માટે પ્રત્યેક મહાવ્રતોને અનુરૂપ તેની પાંચ પાંચ ભાવનાઓનું કથન છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે(૧) ઈર્ષા સમિતિ :- ઇર્યા એટલે ગમન કરવું, સમિતિ એટલે સમ્યક પ્રકારે. જીવ રક્ષાની ભાવનાથી સાવધાનીપૂર્વક શરીર પ્રમાણ ભૂમિને જોઈને ચાલવું, તે ઇર્યાસમિતિ છે. જે ઇર્યાસમિતિનું પાલન કરે છે, તે જ અહિંસાની આરાધના કરી શકે છે. યતનાપૂર્વક ચાલનાર પાપકર્મનો બંધ કરતા નથી. ઇર્યાસમિતિથી રહિત સાધુ અનેક જીવોની હિંસા કરે છે, તેથી સાધુએ હંમેશાં ઇર્યાસમિતિપૂર્વક ગમન કરવાની ભાવના રાખવી જોઈએ. (૨) મન ભાવના :- મનને સમ્યક વ્યાપારમાં પ્રવૃત્ત કરવું. મનને પવિત્ર રાખવું. મનના અશુભ સંકલ્પોથી હિંસાને પ્રોત્સાહન મળે છે, અનેક દોષોની પરંપરાનું સર્જન થાય છે, તેથી સાધુએ મનને અશુભ વિચારોથી મુક્ત રાખી શુભ વિચારોમાં પ્રવૃત્ત કરવું જોઈએ. (૩) વચન ભાવના :- ભાષા સમિતિ તથા વચન ગુપ્તિનું પાલન કરવું. કર્કશ, કઠોર, હિંસક આદિ પાપકારી ભાષા અન્ય જીવોની હિંસાનું નિમિત્ત બને છે, તેથી સાધુએ પાપકારી ભાષાનો ત્યાગ કરીને નિર્દોષ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. (૪) આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ - વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો લેવા મૂકવામાં કે વાપરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy