________________
અધ્યયન ૧૩
તેરમું અધ્યયન
પરક્રિયા સપ્તક
પરક્રિયાઃ
१ परकिरियं अज्झत्थियं संसेइयं णो तं साइए, णो तं णियमे । શબ્દાર્થ:-પરજિરિય = પરક્રિયા અન્નત્ત્વિયં = પોતાના માટે કરાતી ક્રિયા સંજ્ઞેય = કર્મને ઉત્પન્ન કરનારી તેં – તે ક્રિયાને ખો સાફQ = મનથી પણ ઇચ્છે નહિ નો પિયમે = નિયામક બને નહિ, નિયોજિત કરે નહીં અર્થાત્ વાણી અને કાયાથી કરાવે નહિ.
૨૭૯
ભાવાર્થ :ગૃહસ્થ દ્વારા પોતાના શરીર પર થતી કાય વ્યાપાર રૂપ ક્રિયા કર્મબંધનું કારણ છે, તેમ જાણી મુનિ તેને મનથી પણ ઇચ્છે નહિ, વચનથી કરવાનું કહે નહિ અને કાયાથી કરાવે પણ નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પરક્રિયા અને તેના પરિણામનું કથન છે.
पर - आत्मनो व्यतिरिक्तोऽन्यस्तस्य क्रिया चेष्टा कायव्यापाररूपा तां परक्रियाम् । આત્માથી ભિન્ન હોય તે પર અને તેની ક્રિયા, પરક્રિયા કહેવાય છે. પ્રસ્તુત પ્રસંગમાં સ્વ એટલે સાધુ અને પર એટલે ગૃહસ્થ, આ અર્થનું ગ્રહણ થાય છે, તેથી સાધુના નિમિત્તે ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાને પરક્રિયા
કહી છે.
સાધુનું જીવન સંપૂર્ણ રીતે સ્વાવલંબી છે. તે પોતાની આવશ્યક પ્રત્યેક ક્રિયા સ્વયં યતનાપૂર્વક કરે છે. જો સાધુને માટે ગૃહસ્થ કોઈપણ ક્રિયા કરે, તો તે આરંભ-સમારંભપૂર્વક કે અયતનાપૂર્વક થાય તેવી સંભાવના છે. ગૃહસ્થની અપેક્ષાથી જીવન વ્યતીત કરતા સાધુ પરાધીન બની જાય છે. સાધુએ ગૃહસ્થ પાસે કામ કરાવવું હોય, તો તેને ગૃહસ્થની ખુશામત કરવી પડે છે. આ રીતે ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાથી અનેક દોષોનું સેવન થાય છે, કર્મનો બંધ થાય છે, તેથી સાધુ ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાની મન, વચન અને કાયાથી ઇચ્છા કરે નહીં.
Jain Education International
પાદ પરિકર્મ નિષેધ -
२ सिया से परो पायाई आमज्जेज्ज वा पमज्जेज्ज वा, जो तं साइए णो तं નિયમે ।
ભાવાર્થ:- કોઈ ગૃહસ્થ મુનિના પગને વસ્ત્રાદિથી થોડા પૂંજે કે વારંવાર સારી રીતે પોંજીને સાફ કરે, તો સાધુ તે પરક્રિયાને મનથી પણ ઇચ્છે નહિ અને તેની પ્રેરણા આપે નહીં અર્થાત્ વચનથી તેમ કરવા કહે નહીં અને કાયાથી કરાવે નહીં.
For Private Personal Use Only
www.jainelibrary.org