SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ મૂઢ શબ્દાર્થ:રૂહતોફણË સદ્દષ્ટિ = ઇહલૌકિક શબ્દ-સ્વજાતિના અર્થાત્ મનુષ્યાદિકૃત શબ્દો પરતોષિ સદ્દહિં = પારલૌકિક શબ્દો, પરજાતિના ઘોડા, હાથી આદિના શબ્દો નો સન્ગેન્ગા = આસક્ત થવું નહીં, વિષયોનું સેવન કરવું નહીં જો રજ્જે= મનમાં અનુરાગ કે પ્રીતિનો ભાવ લાવવો નહીં જો શિોખ્ખા = વિષયાસક્તિની અનિષ્ટ પરંપરા જાણીને તેની આકાંક્ષા કરવી નહીં જો મુન્ગેન્ગા = વિષયોમાં બનવું નહીં જો અન્નોવવોખ્ખા = અત્યંત મૂઢ બનીને વિષયનું સેવન કરવું નહીં. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી આ લોક સંબંધી-સ્વજાતિના શબ્દોમાં અર્થાત્ મનુષ્યોના શબ્દોમાં, પરલોક સંબંધી-પરજાતિના શબ્દોમાં અર્થાત્ પશુ- પક્ષીઓના શબ્દોમાં, સાંભળેલા– પ્રત્યક્ષ સાંભળેલા શબ્દોમાં કે નહીં સાંભળેલા શબ્દોમાં, જોયેલા કે નહીં જોયેલા શબ્દોમાં, ઇષ્ટ અને કાંત–પ્રિય શબ્દોમાં આસક્ત થાય નહિ, રાગભાવ કરે નહિ, વૃદ્ધ થાય નહિ, મુગ્ધ બને નહિ અને મૂર્છિત કે અત્યંત આસક્ત બને નહિ. વિવેચનઃ ૨૭૪ પ્રસ્તુત સૂત્ર આ અધ્યયનના સંપૂર્ણ વિષયના ઉપસંહાર રૂપે છે. સૂત્રકારે વિવિધ પ્રકારના સ્થાનોના શબ્દોનું કથન કર્યા પછી ઇહલૌકિક-સ્વજાતિના અને પારલૌકિક-પરજાતિના આદિ શબ્દો દ્વારા સર્વ શબ્દોનું કથન કર્યું છે. તે શબ્દો પ્રગટપણે સાંભળેલા હોય કે અપ્રગટપણે સાંભળેલા હોય, દષ્ટ–પ્રત્યક્ષ સંભળાતા શબ્દો, અદૃષ્ટ–પ્રત્યક્ષ ન હોય તેવા દેવાદિના શબ્દો, ઇષ્ટ કે કાંત શબ્દો સંક્ષેપમાં કોઈ પણ પ્રકારના શબ્દોમાં સાધુ આસક્ત થાય નહીં. આસક્તિ અનેક અનર્થનું સર્જન કરે છે. (૧) જેમ હરણ અને સર્પ સંગીતમાં આસક્ત બનીને ફસાય છે અને અંતે વિનાશને પામે છે, તેમ સાધક પણ સંગીતની આસક્તિમાં ફસાઈને સંયમી જીવનથી ભ્રષ્ટ થાય છે. (૨) પ્રિય શબ્દ સાંભળવા ન મળે અથવા તેનો વિયોગ થાય અને અનિષ્ટ કે અપ્રિય શબ્દ સાંભળવા મળે અથવા તેનો સંયોગ થાય ત્યારે આર્તધ્યાન થાય છે. (૩) આસક્તિથી અસંતોષ, દુઃખ પ્રાપ્તિ, હિંસાદિ દોષો ઉત્પન્ન થાય છે. સાધુએ પોતાના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખી, સર્વ વિષયોથી અનાસક્ત ભાવ કેળવી સતત અંતર્મુખ રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ઉપસંહારઃ २० एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ શબ્દ શ્રવણ વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા—સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે. ॥ અગિયારમું અધ્યયન સંપૂર્ણ ॥ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy