SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ किरिकिरियसहाणि वा अण्णयराणि वा तहप्पगाराई विरूवरूवाई तालसद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :- તાનસફળ = તાલના શબ્દોને સતાસળ = કંસતાલના શબ્દોને રિયાસણ = મંજીરાના શબ્દો દયાળ = ગોધિકા-કાખમાં કે હાથમાં રાખીને વગાડવામાં આવતા ભાંડોના વાધવિશેષના શબ્દોને વિજિરિયન = વાંસની ખપાટોથી બનેલા વાજિંત્રના શબ્દોને, તાતારું = તાલના શબ્દોને. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, જેમ કે–તાલના, કંસતાલના, મંજિરાના, ગોધિકા–ભાંડોના વાધ વિશેષના, વાંસની ખપાટોથી બનેલા વાજિંત્રના શબ્દો તથા તે પ્રકારના વિવિધ તાલ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી કોઈ પણ જગ્યાએ જવાનો સંકલ્પ કરે નહિ. ४ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहासंखसहाणि वा वेणु सहाणि वा वंससद्दाणि वा खरमुहिसद्दाणि वा पिरिपिरियासहाणि वा अण्णयराइ वा तहप्पगाराई विरूवरूवाइं झुसिराई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :- સંહાર = શંખના શબ્દોને પુરાણિ = વેણુના શબ્દોને વલસા = વાંસળીના શબ્દોને ફરજિસદ્દા = ખરમુખીના શબ્દોનેffજીરિયા સફળ = પિરપિરિકાવાધ વિશેષના શબ્દોને સારું = શુષિર શબ્દોને. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, જેમ કે– શંખના, વેણના, વાંસળી (બંસરી)ના, ખરમુખી-વાધવિશેષના, પિરપિરિકા-વાધ વિશેષના શબ્દ તથા તેવા પ્રકારના વિવિધ શુષિર શબ્દોને સાંભળવાની ઇચ્છાથી કોઈપણ જગ્યાએ જવાનો સંકલ્પ કરે નહિ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુને શ્રોતેન્દ્રિય સંયમ માટે ચાર પ્રકારના વાજિંત્રોને સાંભળવાની ઇચ્છાનો નિષેધ કર્યો છે– (૧) તતશબ્દ (૨) વિતતશબ્દ (૩) તાલશબ્દ(ઘન શબ્દ) (૪) શુષિરશબ્દ. વાધના ચાર પ્રકાર છે તેથી તજ્જન્ય શબ્દ પણ ચાર પ્રકારના છે. આ ચારેયના લક્ષણો આ પ્રમાણે છે– (૧) તત-તારવાળા વાજિંત્રોના શબ્દો. જેમ કે–વીણા, સારંગી, તંબૂરા આદિના શબ્દો. (૨) વિતત-તાર વગરના(હાથની થપાટથી વાગતા) વાજીંત્રોના શબ્દો, જેમ કે- મૃદંગ, તબલા અને ઝાલર આદિના શબ્દો. (૩) તાલસામસામા હાથમાં રાખી પરસ્પર ટકરાવીને વગાડાય તેવા વાજિંત્રોના શબ્દો, જેમ કે- તાલીના શબ્દો, ઝાંઝપખાજ, મંજીરા આદિના શબ્દો, તેને ઘન શબ્દ પણ કહે છે. (૪) શષિર-પોલાર અને છિદ્રવાળા, વાયુ પૂરીને વગાડાય તેવા, વાજિંત્રોના શબ્દો, જેમ કે-શંખ, વાંસળી, બ્યુગલ આદિના શબ્દો. આ ચારે પ્રકારના વાજિંત્રોના શબ્દોને સાંભળવાની ઉત્કંઠા સાધકો માટે યોગ્ય નથી, કારણ કે શ્રોતેન્દ્રિયનો અસંયમ અનેક અનર્થોનું સર્જન કરે છે. વાજિંત્રોના શબ્દ શ્રવણની આસક્તિથી સાધુ પોતાની સાધના ભૂલી જાય છે, સમાચારી પાલનમાં તેમજ સ્વાધ્યાય ધ્યાનમાં અલના થાય છે, અસંયમ ભાવનાનું અને ઇન્દ્રિયનું પોષણ થાય છે. શબ્દોની આસક્તિથી કર્મબંધ થાય છે. સંક્ષેપમાં વિષયાસક્તિના ભાવોથી સાધુની વૃત્તિ કે પ્રવૃત્તિ બહિર્મુખી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy