________________
| અધ્યયન-૮: પરિચય
[ ૨૪૭ ]
આઠમું અધ્યયન y/RAa Papapapapapapapapapapapapapang
બીજી ચૂલાના આ અધ્યયનનું નામ સ્થાન સખિકા છે.
બીજા શ્રતસ્કંધના આઠથી ચૌદ સુધીના સાત અધ્યયનની સમગ્ર બીજી ચૂલાનું નામ “સપ્તસપ્તિકા ચૂલા' છે અને તેના પ્રત્યેક અધ્યયનના નામ સાથે પણ “સપ્તિકાશબ્દ જોડાયેલો છે, તે જ રીતે સ્થાન સંબંધિત પ્રસ્તુત અધ્યયનનું નામ સ્થાન સખિકા છે.
જીવ જ્યાં સ્થિત થાય તે સ્થાન કહેવાય છે. તેના બે ભેદ છે– દ્રવ્યસ્થાન અને ભાવસ્થાન. ગામ, નગર યાવતુ રાજધાની દ્રવ્ય સ્થાન છે અને ઔપથમિકભાવ આદિ ભાવ કે સ્વભાવમાં રહેવું તે ભાવસ્થાન છે. પ્રસ્તુત અધ્યયનમાં દ્રવ્યસ્થાનની વિવક્ષા છે.
પ્રશસ્ત ભાવસ્થાનાદિને પ્રાપ્ત કરવા દ્રવ્યસ્થાન આવશ્યક છે. બીજા શàષણા અધ્યયનમાં બે-પાંચ દિવસ કે માસકલ્પાદિ પર્યત રહેવા માટે સ્થાન ગ્રહણનું નિરૂપણ છે જ્યારે પ્રસ્તુત અધ્યયનમાં માત્ર નિશ્ચિત
સ્થાનમાં, નિશ્ચિત સમય સુધી ઊભા રહેવા માટે કે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા માટે સ્થાન ગ્રહણનું નિરૂપણ છે. આ અધ્યયન વર્ણિત સ્થાન ગ્રહણ કરનાર સાધુને બેસવા કે સૂવાનો ત્યાગ હોય છે. તે માત્ર ઊભા જ રહે છે. તેમાં પણ યથાસમયે ચાર પ્રકારની પ્રતિમાનો સ્વીકાર કરે છે.
આ રીતે આ અધ્યયન એક વિશિષ્ટ સાધકને માટે સ્થાનના અવગ્રહ ગ્રહણ સંબંધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org