________________
[ ૧૯૦]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
પાંચમું અધ્યયન | પરિચય જણાવવા 208 208 209 208 2099
આ અધ્યયનનું નામ વઐષણા છે.
સાધક વસ્ત્રરહિત-અચલકતાની સાધના ભૂમિકા સુધી પહોંચી ન શકે ત્યાં સુધી સંયમ નિર્વાહ તથા લજ્જા નિવારણ માટે વસ્ત્ર ગ્રહણ કે ધારણ કરે છે. તે ઉપ સંગમ-તજ ધાતિ રિદતિ યા -(દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૬, ગાથા-૨૦).
તાત્પર્ય એ છે કે અન્યના ચિત્તમાં વિકાર ભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત શરીરવયવોને ઢાંકવા માટે તેમજ ઠંડી-ગરમી વગેરે પરિસ્થિતિઓમાં શરીરના રક્ષણ માટે વસ્ત્રની ઉપયોગિતા છે, જે સાધુને વસ્ત્ર ધારણ કરવાની ઇચ્છા હોય, તે એષણાપૂર્વક વસ્ત્રની યાચના કરે અને નિર્દોષ તથા એષણીય વસ્ત્રને ગ્રહણ કરે અને અનાસક્ત ભાવે તેનો ઉપયોગ કરે.
આહાર સંબંધી ગવેષણા, ગ્રહણ્ષણા અને પરિભોગેષણા, આ ત્રણ પ્રકારની એષણાનું કથન છે, તે જ રીતે સાધુ ત્રણ પ્રકારની એષણાપૂર્વક વસ્ત્ર ધારણ કરે છે. વસ્ત્રના બે પ્રકાર છે :- દ્રવ્ય વસ્ત્ર અને ભાવ વસ્ત્ર. અઢાર હજાર શીલાંગો ભાવવસ્ત્ર છે. તે સાધુના સંયમની સુરક્ષા કરે છે. જે વસ્ત્ર શરીરનું રક્ષણ કરે છે, તે દ્રવ્ય વસ્ત્ર છે. તેના ત્રણ પ્રકાર છે
(૧) એકેન્દ્રિય નિષ્પન્ન-કપાસથી બનેલા વસ્ત્રો, વૃક્ષની છાલથી બનેલા વલ્કલ કે શણથી બનેલા વસ્ત્રો વગેરે. (૨) વિકલેન્દ્રિય નિષ્પન્ન કોશેટામાંથી બનેલા રેશમી વસ્ત્રો. તેમજ અન્ય પણ પદાર્થોને સડાવવાથી તેમાં બેઇન્દ્રિયાદિ રસજ જીવો ઉત્પન્ન થાય અને તેમાંથી બનતા વસ્ત્રાદિ (૩) પંચેન્દ્રિયનિષ્પન્નઊનના વસ્ત્રો.
પ્રસ્તુત અધ્યયનમાં દ્રવ્ય વસ્ત્રની યાચના, ગ્રહણ અને પરિભોગની વિધિનું પ્રતિપાદન છે. તેમાં બે ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં:- વસ્ત્ર ગ્રહણની વિધિનું કથન છે. તેમાં સાધુ-સાધ્વીઓને ધારણ કરવા યોગ્ય વસ્ત્રોની સંખ્યા, વસ્ત્રના વિવિધ પ્રકારો, વસ્ત્ર ગ્રહણના વિવિધ દોષો, વઐષણાની ચાર પ્રતિમાઓ, એષણીયઅનેષણીય વસ્ત્રો અને વસ્ત્ર ગ્રહણ વિધિનું વિસ્તૃત વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં - વસ્ત્ર ધારણ કરવાની વિધિનું પ્રતિપાદન છે.
આ રીતે બે ઉદ્દેશકમાં સાધુ માટે વસ્ત્ર એષણા સંબંધી આવશ્યક જાણકારી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org