SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪: ઉદ્દેશક-૨ . ૧૮૭ | સાધુની સામે સંસારની કોઈ વસ્તુ આવે ત્યારે કાંઈ પણ કહેતા પહેલાં કે અભિપ્રાય આપતા પહેલાં સાવધાનીપૂર્વક તથા પરિણામનો વિચાર કરીને વિવેક સહ નિરવદ્ય, નિર્દોષ,ગુણસુચક, અહિંસક, અન્ય જીવોના હૃદયને આઘાત ન પહોંચે તેવી ભાષાનો પ્રયોગ કરે. વનસ્પતિની એકરાદિ સાત અવસ્થાઓ :- (૧) ર૦ઢ- બીજ વાવ્યા પછી અંકુર રૂપે નીકળે (૨) વજુભૂવા-બીજના પાન નીકળવા-વિકસિત થવા. (૩) fથા- ઉપઘાતથી રહિત થઈ બીજાંકુરનું સ્થિર થઈ જવું. (૪) સદા- સારી રીતે વૃદ્ધિને પામેલ, સ્તંભ રૂપે આગળ વધેલ. (૫) મિય- કૂંડા, શિંગ આદિ હજુ આવ્યા ન હોય. (૬) પર્યા- હૂંડા નીકળી ગયા હોય. (૭) સારા- દાણા બેસી ગયા હોય. શબ્દાદિ વિષયક ભાષા વિવેક:|१७ से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाई सद्दाई सुणेज्जा तहावि ताई णो एवं वएज्जा, तं जहा- सुसद्दे इ वा, दुसद्दे इ वा । एयप्पगारं भासं सावज्ज जाव भूओवघाइय अभिक्ख णो भासेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી તથા પ્રકારના શબ્દોને સાંભળે છે. તે શબ્દો સાંભળીને આ પ્રમાણે કહે નહિ, જેમ કે– આ શબ્દ માંગલિક છે અથવા આ શબ્દ અમાંગલિક છે. આ પ્રકારની સાવધ વાવ હિંસક ભાષા બોલે નહિ. | १८ से भिक्खू वा भिक्खूणी वा जहा वेगइयाइं सहाई सुणेज्जा तहावि ताई एवं वएज्जा, तं जहा- सुसह सुसद्दे इ वा, दुसह दुसद्दे इ वा । एयप्पगारं भासं असावज्ज जाव अभूओवघाइयं अभिक्ख भासेज्जा । एवं रूवाइं किण्हे इ वा णीले इ वा लोहिए इ वा हालिद्दे इ वा सुक्किले इ वा गंधाई सुब्भिगंधे इ वा दुब्भिगंधे इ वा रसाई तित्ताणि वा कडुयाणि वा कसायाणि वा अबिलाणि वा महुराणि वा फासाइ कक्खडाणि वा मउयाणि वा गरुयाणि वा लहुयाणि वा सीयाणि वा उसिणाणि वा णिद्धाणि वा रुक्खाणि वा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના શબ્દો સાંભળીને તેના વિષયમાં તટસ્થ ભાવે આ પ્રમાણે કહે– સુશબ્દને આ સુશબ્દ છે અને દુઃશબ્દને આ દુઃશબ્દ છે, આ રીતે નિરવ યાવતુ અહિંસક ભાષા બોલે. - આ જ રીતે રૂપના વિષયમાં– કાળાને કાળો, નીલાને નીલો, લાલને લાલ, પીળાને પીળો અને સફેદને સફેદ કહે. ગંધના વિષયમાં સુગંધને સુગંધ અને દુર્ગધને દુર્ગધ કહે. રસોના વિષયમાં તીખાને તીખો, કડવાને કડવો, કષાયેલાને કષાયેલો, ખાટાને ખાટો અને મધુરને મધુર કહે. એ જ રીતે સ્પર્શના વિષયમાં કહેવાનું હોય તો કર્કશને કર્કશ, કોમળને કોમળ, ભારેને ભારે, હળવાને હળવો, શીતને શીત, ઉષ્ણને ઉષ્ણ, સ્નિગ્ધને સ્નિગ્ધ, રૂક્ષને રૂક્ષ કહે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રમાં સાધુને માટે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં અનાસક્ત ભાવપૂર્વક ભાષાપ્રયોગનું સુચન છે. ઠાણાંગ સૂત્રમાં પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષય અને ૨૪૦ વિકારો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy