________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
નપુંસકલિંગ વચન (૭) અધ્યાત્મ વચન (૮) ઉપનીત– પ્રશંસાત્મક વચન (૯) અપનીત-નંદાત્મક વચન (૧૦) ઉપનીત અપનીત– પ્રશંસાપૂર્વક નિંદાવચન (૧૧) અપનીત ઉપનીત– નિંદાપૂર્વક પ્રશંસા વચન (૧૨) અતીતવચન (૧૩) વર્તમાન વચન (૧૪) અનાગત-ભવિષ્ય વચન (૧૫) પ્રત્યક્ષ વચન અને (૧૬) પરોક્ષ વચન.
૧૭૨
આ સોળ પ્રકારના વચનોમાંથી જો તેને એકવચન બોલવું હોય તો તે એકવચન જ બોલે યાવત્ પરોક્ષ વચન પર્યંતના જે વચનનો પ્રયોગ કરવો હોય તે વચન બોલે, જેમ કે– આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નપુંસક છે, આ તે છે કે આ કોઈ અન્ય છે. આ રીતે ભાષાના પ્રયોગ સમયે સાધુ વિચારપૂર્વક, નિષ્ઠાપૂર્વક ભાષા સમિતિથી યુક્ત સમ્યક વચનોનો પ્રયોગ કરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીએ બોલવાના સમયે ઉપયોગ રાખીને સોળ પ્રકારના વચનોનો સમ્યક પ્રયોગ કરવાનું કથન છે.
વચનના સોળ પ્રકાર :– (૧) એકવચન– એક માટે વપરાતો વચનપ્રયોગ, એક સૂચક વિભકત્યન્તપદ, જેમકે પુરુષઃ (એકપુરુષ) (૨) દ્વિવચન– બે માટે વપરાતો વચન પ્રયોગ, બે સૂચક વિભકત્યન્ત પદ, જેમ કે– પુરુષો (બે પુરુષો) (૩) બહુવચન– બેથી વધુ માટે વપરાતો વચન પ્રયોગ, ત્રણાદિ સૂચક વિભકત્સાપદ, જેમ કે પુરુષઃ (ઘણા પુરુષો). સંસ્કૃત ભાષામાં દ્વિવચન પ્રયોગ અલગ છે, ગુજરાતી ભાષામાં એકવચન અને બહુવચન, આ બે જ પ્રયોગ છે. (૪) સ્ત્રી વચન– સ્ત્રીલિંગવાચી શબ્દ, જેમ કે— ય સ્ત્રી આ સ્ત્રી છે. (૫) પુરુષવચન– પુરુષલિંગવાચી શબ્દ, જેમકે- અયં પુમાર્ આ પુરુષ છે. (૬) નપુંસક વચન– નપુંસકલિંગવાચી શબ્દ, જેમકે- રૂ ૪ આ કુંડ છે.(કુંડ શબ્દ સંસ્કૃતમાં નપુંસકલિંગી છે, ગુજરાતીમાં પુલિંગવાચી છે). (૭) અધ્યાત્મ વચન– અંતર્ભાવોને અનુરૂપ વચન બોલવા અર્થાત્ આત્મભાવોથી વિપરીત વચનનો પ્રયોગ ન કરવો. (૮) ઉપનીતવચન– પ્રશંસા વાચક શબ્દ, જેમ કે– આ સ્ત્રી અત્યંત સુશીલ છે. (૯) અપનીત વચન–નિંદાત્મક વચન, જેમ કે– આ કન્યા કુરૂપા છે. (૧૦) ઉપનીતા૫નીત વચન– પહેલા પ્રશંસા કરીને પછી નિંદાત્મક શબ્દ કહેવા, જેમ કે— આ સુંદરી છે પરંતુ તે દુઃશીલા છે. (૧૧) અપનીનોપનીત વચન— પહેલા નિંદા કરીને પછી પ્રશંસા વાચક શબ્દ કહેવા, જેમ કે– આ કન્યા જો કે કુરૂપા છે, પરંતુ તે અતિ સુશીલ છે. (૧૨) અતીત વચન– ભૂતકાળદ્યોતક વચન, જેમ કે- અરોત કર્યું હતું. (૧૩) પ્રત્યુત્પન્નવચન– વર્તમાનકાળ વાચક વચન, જેમ કે જોતિ- કરે છે. (૧૪) અનાગત વચન– ભવિષ્યકાળ વાચક શબ્દ, જેમકે ગૃિતિ કરશે. (૧૫) પ્રત્યક્ષવચન– સામે રહેલ વ્યક્તિ કે વસ્તુ માટે કહેવું, જેમ કે– આ ઘર છે.(૧૬) પરોક્ષવચન– સામે ન હોય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે કહેવું, જેમકે તે અહીંયા રહેતો હતો.
સંક્ષેપમાં આ સોળ પ્રકારના વચનોના પ્રયોગમાં સૂત્રકારે ચાર બાબતોનો વિવેક દર્શાવ્યો છે— (૧) સારી રીતે વિચાર કરવો. (૨) નિષ્ઠાપૂર્વક અર્થાત્ યથાર્થપણે સ્પષ્ટતા કરવી. (૩) ભાષા સમિતિનું ધ્યાન રાખવું (૪) યતના પૂર્વક સ્પષ્ટ વચનો બોલવા.
સૂત્રોકત કથનથી આઠ પ્રકારના વચનો ન બોલવાનું સિદ્ધ થાય છે– (૧) અસ્પષ્ટ (૨) સંદિગ્ધ (૩) કેવળ અનુમિત(માત્ર અનુમાન કરીને) (૪) કેવળ સાંભળેલા (૫) પ્રત્યક્ષ જોયેલ હોય, પરંતુ તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org