SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ એક બીજાના શરીરને ઠંડા પાણીથી કે ગરમ પાણીથી ધુએ છે, વિશેષ ધુએ છે, જળ સિંચન કરે છે, સ્નાન કરાવે છે, તેવા સ્થાનમાં બુદ્ધિમાન સાધુને આવવું-જવું યાવતુ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. આ પ્રકારના ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન કરે નહીં. ११ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा णिगिणा ठिआ णिगिणा उवल्लीणा मेहुणधम्म विण्णवैति रहस्सियं वा मंतं मंतेति, णो पण्णस्स णिक्खमण-पवेसाए जाव णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રયમાં ઘરના માલિક યાવતુ નોકરાણી આદિ નગ્ન બનીને ઊભા છે કે નગ્ન થઈને મૈથુન સેવન કરે છે અથવા તત્સંબંધી ગુપ્ત મંત્રણા કરે છે, તો પ્રાજ્ઞ સાધુને ત્યાં જવું-આવવું યોગ્ય નથી થાવ આવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન આદિ કરે નહિ. | १२ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- आइण्णं संलेक्खं, णो पण्णस्स णिक्खमण-पवेसाए जाव णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ - માઇi is = સ્ત્રી પુરુષોના ચિત્રોથી સુસજ્જિત હોય તો. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય ગૃહસ્થ સ્ત્રી, પુરુષો આદિના ચિત્રોથી સુશોભિત છે. તો તેવા ઉપાશ્રયમાં બુદ્ધિમાન સાધુને જવું-આવવું યોગ્ય નથી યાવતું આ પ્રકારના ઉપાશ્રયમાં સાધુ રહે નહિ કે શયનાસન કરે નહીં. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિવિધ ઉપાશ્રયોના ઉપયોગનો નિષેધ કર્યો છે(૧) જ્યાં ગૃહસ્થો રહેતા હોય, જે સ્થાનમાં અગ્નિ હોય, સચેત જલસ્થાનો હોય, તેવા ઉપાશ્રયમાં સાધુને રહેવું કલ્પનીય નથી. ગૃહસ્થ જીવનની પ્રવૃત્તિઓ જોઈને તથા વારંવાર આવાગમન કરતી બહેનોને જોઈને સાધુના ચિત્તમાં વિકારભાવ જાગૃત થવાની સંભાવના રહે છે. સાધુને જોઈને ગૃહસ્થો પણ પોતાની કાર્યવાહીમાં સંક્ષોભ અનુભવે છે, આહાર-પાણી વગેરેમાં પણ અનેક દોષોની સંભાવના છે. ગૃહસ્થના ઘેર રહેતા અગ્નિ કે પાણિયારા આદિ જોઈને ક્યારેક સાધુને તેનો ઉપયોગ કરવાનું મન થાય તો સંયમની વિરાધના થાય. (૨) ગૃહસ્થોના ઘરની વચ્ચેથી પસાર થવું પડે અથવા ગૃહસ્થોના ઘર સાથે જોડાયેલા ઉપાશ્રય(સ્થાન)માં ગૃહસ્થોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ, વિજાતીય આકર્ષણ, પરસ્પર સંકોચ વગેરે દોષોની સંભાવના છે. (૩) જે સ્થાનમાં ગૃહસ્થ સ્ત્રીઓ પરસ્પર ઝગડતી હોય (૪) પરસ્પર માલિશ કરતી હોય (૫) સુગંધી દ્રવ્યો–પીઠી વગેરે ચોળતી હોય (૬) પરસ્પર પાણી ઉડાડતી હોય કે સ્નાન કરાવતી હોય કે પરસ્પર અન્ય પ્રકારે કીડા કરતી હોય, તેવા સ્થાન બ્રહ્મચર્ય માટે બાધક હોવાથી સાધુને ત્યાં રહેવું કિંચિત પણ યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy