SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪] શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ બીજું અધ્યયન પરિચય 89 9820828 22209 2800 આ અધ્યયનનું નામ શઐષણા છે. પ્રસ્તુત અધ્યયનમાં શય્યા શબ્દ પ્રયોગ માત્ર આ લોકમાં પ્રસિદ્ધ પથારી, ગાદલા કે સેજ માટે થયો નથી, પરંતુ સાધુ-સાધ્વીને સૂવા-બેસવાની, ભોજનની ક્રિયાઓ તથા આવશ્યક, સ્વાધ્યાય, જપ, તપ આદિ ધાર્મિક ક્રિયાઓ કરવા માટેના આવાસ સ્થાન રૂપે પ્રયુક્ત છે. તેમજ આસન, સંસ્તારક, પાટ, બાજોઠ આદિ ઉપકરણોનો પણ સમાવેશ શય્યામાં થઈ જાય છે. શય્યાના ચાર પ્રકાર છે– (૧) દ્રવ્ય શય્યા (૨) ક્ષેત્ર શય્યા (૩) કાલ શય્યા (૪) ભાવ શય્યા. (૧) દ્રવ્ય શધ્યા- તેના ત્રણ પ્રકાર છે– (૧) સજીવ પૃથ્વી આદિ સચિત્ત દ્રવ્ય શવ્યા છે. (૨) નિર્જીવ પૃથ્વી આદિ અચિત્ત દ્રવ્ય શવ્યા છે. (૩) સંપૂર્ણપણે અચિત્ત થઈ ન હોય, તેવી પૃથ્વી આદિમિશ્રદ્રવ્ય શય્યા છે. (૨) ક્ષેત્ર શય્યા-ગામ, નગર આદિ સ્થાન વિશેષમાં કરવામાં આવતી શય્યા. (૩) કાલ શય્યા-તુબદ્ધ કાલ– શેષનાલમાં અથવા ચાતુર્માસ કલ્પમાં ઉપયોગમાં આવતી શય્યા. (૪) ભાવ શવ્યા- તેના બે ભેદ છે– (૧) કાયવિષયક ભાવ શય્યા- ગર્ભસ્થ જીવોનું માતાના ઉદરમાં જે શયન થાય તે. (૨) ભાવવિષયક ભાવ શયા- જીવ જે સમયે ઔદયિક આદિ ભાવમાં પરિણમન કરે છે તેને ભાવ વિષયક ભાવ શય્યા કહેવાય છે. આ અધ્યયનમાં ક્ષેત્ર શય્યા અને કાલ શય્યાનું કથન છે. એષણા– અન્વેષણ, શોધ કરવી. આ રીતે શàષણા એટલે નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ કરવી. આત્મસાધનાના સાધનભૂત શરીરના પાલન-પોષણ માટે જે રીતે આહાર ગ્રહણની જરૂર છે, તે જ રીતે તેની વિશ્રાંતિ માટે તેમજ સાધના કરવા માટે સુયોગ્ય સ્થાનની પણ અનિવાર્યતા છે. નિર્દોષ આહારની જેમ નિર્દોષ સ્થાનમાં નિવાસ કરવો, તે સંયમી જીવનનું મહત્ત્વનું અંગ છે. આત્મ સાધનામાં બાહ્ય ક્ષેત્ર કે અન્ય નિમિત્ત સહાયભૂત કે બાધક રૂપ બની શકે છે, તેથી સાધુને માટે કલ્પનીય-અકલ્પનીય શય્યાના ગુણ-દોષોનું શાસ્ત્રકારે વિસ્તૃત વર્ણન કર્યું છે. આ શàષણા અધ્યયનના ત્રણ ઉદ્દેશકો છે–પ્રથમ ઉદ્દેશકમાં– સ્થાન સંબંધી ઉદ્ગમાદિ દોષો તથા ગૃહસ્થાદિથી સંસક્ત શય્યાના દોષોનું ચિંતન છે. દ્વિતીય ઉદ્દેશકમાં– વસતિ વિષયક અન્ય દોષોની સંભાવના તથા સાધુને કલ્પનીય-અકલ્પનીય નવ પ્રકારની શય્યાનું વિસ્તૃત વર્ણન છે. ત્રીજા ઉદ્દેશકમાંસ્થાનની યાચના વિધિ, સ્થાનમાં નિવાસ કર્યા પછી સાધુનો વિવેક, સંયમી સાધુ માટે વિવિધ પ્રકારના નિષિદ્ધ સ્થાન, સંસ્તારકની નિર્દોષતા-સદોષતા, પ્રાતિહારિક વસ્તુઓ ગૃહસ્થને પાછી સોંપવાની વિધિ, સંતારક વિષયક ચાર પ્રકારના અભિગ્રહો તથા અંતે અનુકૂળ અને પ્રતિકૂળ સ્થાન કે સંસ્તારકમાં સાધુને સમભાવ રાખવાનું વિધાન છે. આ રીતે શય્યા અને સંસ્કારક સંબંધી સંપૂર્ણ વર્ણન સાથે આ અધ્યયન પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy