________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૧૧
_
૯૩ |
જપ, અભિગ્રહોના સ્વીકારથી ક્રમશઃ પોતાના કષાયોને ઉપશાંત કરે છે. આત્યંતર દોષોનો નાશ થાય, ત્યારે જ આત્મવિશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ થાય છે.
સાધક સાધનામાં જેમ-જેમ વિકાસ કરે, તેમ-તેમ તેના અંતરમાં ક્રોધ, માન આદિ કષાયોની ઉપશાંતતાની અનુભૂતિ થતી જાય તે જ સાધનાની ફળશ્રુતિ છે, તેથી જ સાધક પોતાની સાધનાનું અભિમાન કે અન્યની હીનતા પ્રગટ કરીને નિંદા કરે નહીં. એક સાધુની હિલના કે નિંદા કરવાથી સમસ્ત જિનશાસનની હિલના કે નિંદા થાય છે, તેથી જ સાધુ પોતાની ઉત્કૃષ્ટ સાધનાનો ગર્વ કરે નહીં. પોતાની મહત્તાનો ભાવ અન્ય પ્રતિ તુચ્છતાના ભાવને જન્મ આપે છે. સાધનાનું મૂલ્ય બાહ્ય ત્યાગથી થતું નથી, પરંતુ તેની સાથે આવ્યંતર દોષ વિશુદ્ધિથી જ થાય છે માટે અહીં બાહ્ય ત્યાગ કે અભિગ્રહો સાથે અન્ય સાધકો પ્રત્યે ઉદારભાવ અને આદર ભાવ રાખવાનો સંદેશ આપ્યો છે.
- સહવર્તી સર્વ સાધકોની સાધનામાં તરતમતા હોવા છતાં સર્વ સાધુઓ જિનેશ્વરની આજ્ઞાના આરાધક છે, તેમ સ્વીકારીને સાધુ સમતાપૂર્વક વિચરે. સમભાવની સાધનામાં જ સાધકની પ્રગતિ છે. ઉદ્દેશકનો ઉપસંહાર:१२ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्व?हिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
તે અધ્યયન-૧/૧૧ સંપૂર્ણ
તે પહેલું અધ્યયન સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org