________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૯
રાખવો, મૂળ માલિકનું કર્તવ્ય છે. સાધુ તે આહાર ગ્રહણ કરી લે, તો મૂળ માલિકે(દાતાએ) તેના માટે નવો આહાર બનાવવો પડે અથવા બીજો આહાર આપવો પડે. તે માલિકની આહાર વહોરાવવાની ઇચ્છા ન હોય તો સાધુ પ્રત્યે તેને દુર્ભાવ થાય માટે તે વ્યક્તિની અનુમતિ વિના સાધુ તે આહાર ગ્રહણ કરે નહીં. ઉપસંહાર:| ९ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
|| અધ્યયન-૧/૯ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org