________________
શસ્ત્ર પરિશા અધ્ય−૧, ૯:૪
વિવેચન :
આ ઉદ્દેશકમાં બતાવેલ અણગારનું સ્વરૂપ, અપ્લાયનું સ્વરૂપ, જીવત્વની શ્રદ્ધા અર્થાત્ પાણી સ્વયં જીવ છે અને તેની અંદર ત્રસ જીવોનું અસ્તિત્વ જુદું છે, અાયનાં શસ્ત્રો છે, હિંસાપાપ સાથે અદત્ત પાપ પણ થાય છે વગેરે જાણી સમજી જે અપ્લાયની હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરે, તે મુનિ જ વાસ્તવમાં સમ્યગ્ જ્ઞાતા કહેવાય છે અર્થાત્ જે હિંસાને જાણીને, સમજીને તેનો ત્યાગ કરે તેનું જાણવું જ સફળ કહેવાય છે.
સ્ત્ર
॥ અધ્યયન-૧/૩ સંપૂર્ણ ॥
પહેલું અધ્યયન : ચોથો ઉદ્દેશક
અગ્નિકાયની સજીવતા :
१ से बेमि- णेव सयं लोगं अब्भाइक्खेज्जा, णेव अत्ताणं अब्भाइक्खेज्जा । जे लोगं अब्भाइक्खइ, से अत्ताणं अब्भाइक्खइ । जे अत्ताणं अब्भाइक्खइ, से लोगं अब्भाइक्खइ । जे दीहलोगसत्थस्स खेयण्णे, से असत्थस्स खेयण्णे । जे असत्थस्स खेयण्णे, से दीहलोगसत्थस्स खेयणे । શબ્દાર્થ :- – સયં = પોતે, હોર્ન = અગ્નિકાયનો, પેવ અાવ્ગ્લેન્ગા = અપલાપ કરે નહિ, અત્તા" = આત્માનો, ને - જે વ્યક્તિ, તોળ અભાવવફ લોકનો અપલાપ કરે છે, વીહતો સત્યસ્સ = દીર્ઘલોક, વનસ્પતિના શસ્ત્રરૂપ અગ્નિના, ઘેયળે = ખેદજ્ઞ છે, સ્વરૂપને જાણે છે, અસત્યા = અશસ્ત્રના, સંયમના.
Jain Education International
૨૩
=
IMMING
ભાવાર્થ :- તે મુમુક્ષુ આત્મા ક્યારે ય પણ લોક–અગ્નિકાયના જીવત્વનો નિષેધ કરે નહિ. પોતાના આત્માનો અપલાપ પણ કરે નહિ, કારણ કે જે અગ્નિનો અપલાપ કરે છે, તે પોતે પોતાનો અપલાપ કરે છે. જે પોતે પોતાનો અપલાપ કરે છે, તે અગ્નિ લોકનો અપલાપ કરે છે.
જે દીર્ઘલોકશસ્ત્ર–અગ્નિકાયના સ્વરૂપને જાણે છે, તે અશસ્ત્ર-સંયમના સ્વરૂપને જાણે છે. જે સંયમના સ્વરૂપને જાણે છે તે દીર્ઘલોકશસ્ત્રના સ્વરૂપને પણ જાણે છે.
વિવેચન :
For Private Personal Use Only
તે નેમિ :- આ શબ્દથી ચાલતાં પ્રકરણનું સૂચન કરેલ છે અર્થાત્ છકાયનું સ્વરૂપ અને છકાયની હિંસા અહિંસાના વિષયમાં હું કહું છું.
www.jainelibrary.org