________________
૨૨ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
विउदृति । एत्थ वि तेसिं णो णिकरणाए । શબ્દાર્થ :- જે = અમોને, ખ = કહ્યું છે, પ૩િ= કાચું પાણી પીવું, વિમૂલાઈ = વિભૂષા-હાથ, પગાદિ ધોવા, સ્નાન કરવું તેમજ વસ્ત્ર ધોવા, પુડો = ભિન્ન ભિન્ન, સત્યેÉ = શસ્ત્રોથી, વિઠ્ઠતિ = અષ્કાયના જીવોની હિંસા કરે છે, પલ્પ વિ = આવિષયમાં, એમ માનવા છતાં, ક્ષ = તે અન્યતીર્થિકોની, નો પિરાઇ = કર્મથી કે પાપથી મુક્તિ થઈ શકતી નથી. ભાવાર્થ :- અન્યદર્શનીઓ કહે છે કે પાણી અમને કહ્યું છે. અમારા સિદ્ધાન્તાનુસાર પીવા માટે અથવા સ્નાનાદિ વિભુષા માટે અમે જલનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રમાણે પોતાનાં શાસ્ત્રોનું પ્રમાણ આપીને વિવિધ પ્રકારના શસ્ત્રોથી પાણીના જીવોની હિંસા કરે છે. પોતાનાં શાસ્ત્રોનું પ્રમાણ આપીને પાણીની હિંસા કરનારા સાધુ હિંસાના પાપથી નિવૃત્ત થઇ શકતા નથી. તેઓનો હિંસા નહિ માનવાનો વિચાર હોવા છતાં તે હિંસાના પાપથી છૂટી શકતા નથી. અકાયહિંસા ત્યાગ :| ७ | एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवति ।
तं परिण्णाय मेहावी णेव सयं उदयसत्थं समारंभेज्जा, णेवण्णेहिं उदयसत्थं समारंभावेज्जा, उदयसत्थं समारंभंते वि अण्णे ण समणुजाणेज्जा ।
जस्सेते उदयसत्थसमारंभा परिण्णाया भवंति, से हु मुणी परिण्णायकम्मे । त्ति बेमि ।
તો કદ્દેલો સમરો ભાવાર્થ :- શસ્ત્રનો ઉપયોગ કરીને જે જલકાયનો આરંભ કરે છે તે આરંભ–હિંસાના દુઃખદ પરિણામથી અજ્ઞાત છે અર્થાત્ હિંસા કરનાર શાસ્ત્રોનું ગમે તેટલું પ્રમાણ આપે પણ વાસ્તવમાં તે અજ્ઞાની છે. જલકાય ઉપર શસ્ત્રનો પ્રયોગ નહિ કરનાર જ આરંભને જાણે છે, તે જ હિંસાના દોષથી મુક્ત થાય છે અર્થાતુ જ્ઞપરિજ્ઞાથી હિંસાને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે છે.
આ જાણીને બુદ્ધિમાન પુરુષ સ્વયં અપ્લાયની હિંસા કરે નહીં, બીજા પાસે અપ્લાયની હિંસા કરાવે નહિ અને અપ્લાયની હિંસા કરનારની અનુમોદના કરે નહીં. જે પાણી સંબંધી સમારંભનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરે છે તે પરિજ્ઞાતકર્મા(નિ) છે. -એમ ભગવાને કહ્યું છે.
છે ત્રીજે ઉદ્દેશક સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org